સુરેન્દ્રનગર: ધાંગધ્રામાં  સ્ટેટ સમયના મંદિરે વયસ્ક નાગરિકો દ્વારા ગવડાવવામાં આવે છે ગરબા !

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે

New Update

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીના પર્વની ઉજવણી

ધાંગધ્રામાં આવેલું છે સ્ટેટ સમયનું મંદિર

મહાલક્ષ્મી માતાના મંદિરે કરાય છે ઉજવણી

વયસ્ક નાગરિકો દ્વારા ગવડાવવામાં આવે છે ગરબા

મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઘૂમે છે ગરબે

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે
હાલ નવરાત્રી ચાલી રહી છે. લોકો ગરબે રમીને આનંદ લઈ રહ્યા છે ત્યારે નવરાત્રીમાં માતાજીની ભક્તિ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ 132 વર્ષ સ્ટેટ વખતના જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સીટીઝનો દ્વારા જુના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે. સાથે માતાજીને નવરાત્રીમાં અલગ અલગ શણગાર કરવામાં પણ આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે.અહીં જે ગરબા ગાવામાં આવે છે. તેમાં વલ્લભ ભટ્ટ દયાકલ્યાણના પ્રાચીન ગરબા, આરતી,થાળ, ગવાય છે.મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે તેમ છે. ગરબા ગાવામાં યુવાનો અને યુવતીઓ પણ અહીં આવે છે. 
#Gujarat #Surendranagar #temple #Garba #senior citizens #Dhangadhra News
Here are a few more articles:
Read the Next Article