સુરેન્દ્રનગર: પ્રેમિકા અને ભાઈએ પ્રેમીની કરી ધરપકડ, બન્નેને પોલીસે હરિદ્વારથી ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર દુધરેજ નજીક કોથળામાં પેક કરાયેલ મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે તપાસ હાથ ધરતા આ હત્યા પ્રકરણનો ઉકેલાય ગયો છે

New Update
સુરેન્દ્રનગર: પ્રેમિકા અને ભાઈએ પ્રેમીની કરી ધરપકડ, બન્નેને પોલીસે હરિદ્વારથી ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર દુધરેજ નજીક કોથળામાં પેક કરાયેલ મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે તપાસ હાથ ધરતા આ હત્યા પ્રકરણનો ઉકેલાય ગયો છે અને આ હત્યા મરણ જનારની પ્રેમીકા અને તેના ભાઇએ કર્યાનું ખુલતા પોલીસે હરીદ્વારથી આરોપી મહિલા અને તેના ભાઇની ધરપકડ કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલમાં કોથળામાં કાઇક તરતુ હોવાનું અને તેમાંથી શ્ર્વાનો કાઇક ખાતા હોવાની જાણ પોલીસને થતા તાબડતોબ પોલીસ ઘટના સ્થળે પોહોચી કોથળો બહાર કાઢતા તેમાંથી એક મૃતદેહ નિકળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અને તાત્કાલિક લાશને ફોરેસીક લેબમાં રાજકોટ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે જે કોથળામાં મૃતદેહ મળ્યો હતો તેની ઝીણવટ ભરી તપાસ કરતા જે કોથળામાં લાશ પેક કરાયેલ હતી તેની ઉપર હળવદ નજીક એક ફેક્ટરીના નામ સરનામા હોઇ પોલીસે હળવદ તરફ તપાસ આરંભ કરી હતી અને હળવદનો એક યુવક ગુમ થયેલ હોઇ જેના વારસદારોને બોલાવી મૃતદેહ ઓળખ કરાવતા આ મૃતદેહ હળવદના સોમા મકવાણાની હોવાનું અને તે તેની પ્રેમિકા લતા દેવીપુંજક સાથે રહેતો હોઇ જેથી તેની તપાસ કરતા લતા ઘરમાં હતી નહિ જેથી પોલીસે લતાનું લોકેશન જોતા દિલ્લી અને હરદ્રાર તરફ આવતુ હતુ જેથી એ. ડીવીઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી હરદ્રાર પહોચી સ્થાનિક પોલીસને સાથે રાખીગંગા ઘાટ નજીક ચારસો ઝુંપડા તપાસ કરતા આરોપી લતા અને તેનો ભાઇ અશોક મળી આવ્યા હતા જેથી પોલીસે બન્ને આરોપીઓ ને સુરેન્દ્રનગર લાવી પૂછપરછ કરી હતી.

પુછપરછ દરમિયાન બન્ને આરોપીઓએ સોમાભાઇની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી અને મરણ જનાર સોમાભાઇ અને લતાને પ્રેમ સંબંધ હોઇ બન્ને હળવદમાં લતાના ઝુપડામાં રહેતા હતા અને આરોપી લંતાના ભાઇએ મરણ જનાર સોમાભાઇને ઉછીના રૂપીયા આપેલ હતા પરંતુ સોમાભાઇ આપતા ન હતા જેથી રક્ષા બંધનના દિવસે આરોપી અશોક હળવદ આવ્યો હતો જેથી સોમાભાઇ અને અશોક વચ્ચે રૂપીયા બાબતે બોલાચાલી થયેલ અને બન્ને નશામાં હોઇ જેથી અશોકે સોમાભાઇ ના માથામાં લાકડાના ધોકાના ફટકા મારતા સોમાભાઇનું મોત થયુ હતુ જેથી આરોપી અશોક અને પ્રેમીકા લતાએ લાશને કોથળામાં પેક કરી અને રીક્ષામાં હળવદથી નાખી અને દુધરેજ નજીક નર્મદા કેનાલમાં નાખી અને ફરાર થયા હતા....પોલીસે આરોપીઓએ હત્યાની કબુલાત આપતા બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Latest Stories