સુરેન્દ્રનગર: રણ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મીઠાના અગરમાં ભારે નુકશાન,ભારે પવનના કારણે ઝૂપડા પણ ઉડ્યા

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદથી મીઠાના પાટામાં ભારે નુકશાન થયું હતું તો વીજળી પડતાં અગરિયાના ઝુપડા પણ સળગી ઉઠ્યા હતા

New Update
સુરેન્દ્રનગર: રણ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મીઠાના અગરમાં ભારે નુકશાન,ભારે પવનના કારણે ઝૂપડા પણ ઉડ્યા

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદથી મીઠાના પાટામાં ભારે નુકશાન થયું હતું તો વીજળી પડતાં અગરિયાના ઝુપડા પણ સળગી ઉઠ્યા હતા

હવામાન વિભાગ દ્વારા 4, 5 અને 6 માર્ચ એમ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કચ્છના નાના રણમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબકતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યુ હતુ. અને રણમાં પોતાના પરિવારજનો સાથે મીઠું પકવતા અગરિયા મનસુખભાઇ રામાભાઇ અજાણીનું ઝુપડું રણમાં જોરદાર સુસવાટા મારતા પવન અને વાવાઝોડાના લીધે 10થી 12 ફુટ ફંગોળાઇને પડ્યું હતુ. સદભાગ્યે અગરિયા પરિવાર પાટામાં મીઠું પકવવાનું કામ કરતા હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને એક બાજુ મીઠાની સીઝન ચાલુ છે. અને માલ પાકવા ઉપર હોય ત્યારે જ રણમાં કમોસમી વરસાદે અને વાવાઝોડાએ અગરિયાની ચિંતા વધારવાની સાથે એમના પર "પડ્યા ઉપર પાટુ મારવાના ઘા" સમાન નુકશાની ઉઠાવવાની નોબત આવી હતી. અને ભારે પવનના કારણે અગરિયાના રહેવા માટે ઝુપડા પણ ઉડી ગયા હતા. અને રણમાં અમુક વિસ્તારમાં તો ભારે વરસાદથી મીઠાનું ધોવાણ મોટા પાયે થયું હતુ.

Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
Latest Stories