સુરેન્દ્રનગર: રણ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મીઠાના અગરમાં ભારે નુકશાન,ભારે પવનના કારણે ઝૂપડા પણ ઉડ્યા

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદથી મીઠાના પાટામાં ભારે નુકશાન થયું હતું તો વીજળી પડતાં અગરિયાના ઝુપડા પણ સળગી ઉઠ્યા હતા

New Update
સુરેન્દ્રનગર: રણ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મીઠાના અગરમાં ભારે નુકશાન,ભારે પવનના કારણે ઝૂપડા પણ ઉડ્યા

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદથી મીઠાના પાટામાં ભારે નુકશાન થયું હતું તો વીજળી પડતાં અગરિયાના ઝુપડા પણ સળગી ઉઠ્યા હતા

હવામાન વિભાગ દ્વારા 4, 5 અને 6 માર્ચ એમ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કચ્છના નાના રણમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબકતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યુ હતુ. અને રણમાં પોતાના પરિવારજનો સાથે મીઠું પકવતા અગરિયા મનસુખભાઇ રામાભાઇ અજાણીનું ઝુપડું રણમાં જોરદાર સુસવાટા મારતા પવન અને વાવાઝોડાના લીધે 10થી 12 ફુટ ફંગોળાઇને પડ્યું હતુ. સદભાગ્યે અગરિયા પરિવાર પાટામાં મીઠું પકવવાનું કામ કરતા હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને એક બાજુ મીઠાની સીઝન ચાલુ છે. અને માલ પાકવા ઉપર હોય ત્યારે જ રણમાં કમોસમી વરસાદે અને વાવાઝોડાએ અગરિયાની ચિંતા વધારવાની સાથે એમના પર "પડ્યા ઉપર પાટુ મારવાના ઘા" સમાન નુકશાની ઉઠાવવાની નોબત આવી હતી. અને ભારે પવનના કારણે અગરિયાના રહેવા માટે ઝુપડા પણ ઉડી ગયા હતા. અને રણમાં અમુક વિસ્તારમાં તો ભારે વરસાદથી મીઠાનું ધોવાણ મોટા પાયે થયું હતુ.

Read the Next Article

બનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

New Update
  • પાલનપુરમાં પોલીસકર્મીનો આપઘાત

  • અંતિમ ચિઠ્ઠી લખીને કર્યો આપઘાત

  • ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી 

  • પોલીસ અધિકારીઓ પર લગાવ્યો આક્ષેપ

  • ગુજરાત પોલીસ બેડામાં ચકચાર

  • પરિવારજનોએ કરી યોગ્ય ન્યાયની માંગણી

બનાસકાંઠાના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,જોકે તેઓએ અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ અધિકારીઓ અને મેડિકલ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કોન્સ્ટેબલ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી,જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

ઘટના સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યુ કેવિંદલરાજે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડ નોટમાં લખ્યું છે કે,અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ સાથે નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણ સામે કચ્છમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો હતો.અને ત્યાર બાદ તેની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસમાં ચકચાર જગાવનાર કોન્સ્ટેબલના ચકચારી આપઘાતની ઘટનામાં બનાસકાંઠા ASP સુબોધ માનકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ  વિંદલરાજ ચૌહાણના આપઘાત મુદ્દે અકસ્માત મોત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છેવિંદલરાજ ચૌહાણ સામે પ્રોહીબીશનનો કેસ નોંધવામાં આવ્યો હતો,અને તેમની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.હાલમાં પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.તેમજ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.