સુરેન્દ્રનગર : 80 હજાર કીમીનું અંતર કાપી જૈન મુનિ પહોંચ્યા ચોટીલા, પર્યાવરણનું રક્ષણ કરવા કરી અપીલ
કાશ્મીરથી કન્યાકુમારી સુધી 80 હજાર કિ.મી.ની પદયાત્રા કરી રાષ્ટ્ર સંત અને જૈન સાધુઓ લીંબડીના આંગણે પધાર્યા છે
કાશ્મીરથી કન્યાકુમારી સુધી 80 હજાર કિ.મી.ની પદયાત્રા કરી રાષ્ટ્ર સંત અને જૈન સાધુઓ લીંબડીના આંગણે પધાર્યા છે. દેશના 18 રાજયોએ જેમને રાજકીય અતિથિ તરીકેનો દરજ્જો આપ્યો છે તેવાં રાષ્ટ્રસંત કમલમુનિ જૈન સાધુ સંતો સાથે લીંબડીના આંગણે પધારતાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
વિશ્વ શાંતિ, પ્રેમ અને સદભાવ માટે 80 હજાર કિ.મી.ની પદયાત્રા ખેડનારા રાષ્ટ્રસંત કમલમુનિજીએ ઉદ્બોધનમાં સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે દેશનું દુર્ભાગ્ય છે કે કોરોના કાળમાં અંહી મદિરાલય ખુલ્લા છે પણ દેવાલય બંધ છે. ધર્મ સ્થળે બેસી લોકોની ઈમ્યુનીટી પાવર મજબૂત બને છે તેને જ સરકારે બંધ કરી દીધાં છે. વૃક્ષો કાપીને લોકોએ પોતાના વિનાશની નજીક પહોંચી રહ્યા છે. પ્રકૃતિ પરમાત્માનું બીજું રૂપ છે. પર્યાવરણની રક્ષા કરવી જોઈએ ધર્મની રક્ષા કરવા સમાન છે. રાષ્ટ્રસંતે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટીકના ઉપયોગ પર સરકાર પ્રતિબંધ લગાવે છે પરંતુ તેના ઉત્પાદન ઉપર બ્રેક કેમ નથી લગાવતી એના પરથી સરકારની ઇચ્છા કેવી છે તે દેખાઈ જાય છે. રાષ્ટ્ર સંત કમલમુનિજી સાથે ઉત્તમમુનિજી, તપસ્વી ઘનશ્યામમુનિ, પંડિત ગૌતમમુનિ, અરિહંતમુનિ, કૌશલમુનિ, કવિ અક્ષતમુનિ, ઉદયમુનિજીએ લીંબડીના પાંજરાપોળ અને જૈન દેરાસરની મુલાકાત લીધી હતી.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
દાહોદ : દામાવાવ નજીક એસટી બસ અને ખાનગી બસ સહિત અન્ય વાહન વચ્ચે સર્જાયો...
16 Aug 2022 4:37 PM GMTરાજ્યમાં આજે કોરોનાના 425 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત
16 Aug 2022 4:04 PM GMTસુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMT