Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો,મોટી સંખ્યામાં સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત

સુરેન્દ્રનગરના ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમીલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

X

સુરેન્દ્રનગરના ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમીલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

સુરેન્દ્રનગરના લીબંડી, ચુડા, સાયલા તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સન્માન સમારોહનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી ધીરુભા સિંધવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના વીર શહીદો મહિપાલસિંહ વાળા તેમજ ધર્મેન્દ્રસિંહ પરમારને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન જશુભા સોલંકીને સન્માનિત કરાયાં હતા. આ કાર્યક્રમમાં અમરધામ છલાળાનાં મહંત જનકસિંહ સાહેબ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જશુભા સોલંકી, દીપસંગભાઈ ડોડીયા, રૈયાદાદા રાઠોડ, અનિરુદ્ધસિંહ પઢિયાર, માનસંગભાઈ મસાણી, લગધીરસિંહ જાદવ, ડી.ડી.પરમાર અગરસિંહ વાળા સહિતનાં ચુડા સાયલા લીંબડી ધંધુકા રાણપુર બોટાદ તથા વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story