સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીનો જીવ બચાવાયો,જુઓ LIVE રેસક્યું ઓપરેશન

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકની પથરાળ જમીન હોવાની સાથે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારની જમીન પણ આવેલી છે.

New Update
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીનો જીવ બચાવાયો,જુઓ LIVE રેસક્યું ઓપરેશન

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીને જીવના જોખમે 80 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને 4 કલાકની મહેનત બાદ જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સલામત બહાર કાઢવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકની પથરાળ જમીન હોવાની સાથે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારની જમીન પણ આવેલી છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ફાર્મવાળા મેલડીમાની બાજુની વાડીના એક 80 ફૂટના કૂવામાં છેલ્લા 3 વર્ષથી જંગલી બિલાડી પડેલી હતી. ખેડૂતો દ્વારા ઘણા પ્રયત્નો કરવા છતાં બિલાડીને બહાર કાઢવામાં નિષ્ફળ ગયા હતા. ખેડૂતો બિલાડીને ખોરાક નાખતા હતા જેના કારણે તે આટલા વર્ષો સુધી કૂવામાં જ જીવી હતી ત્યારે જીવદયા પ્રેમી યુવાન બ્રિજેશ રાઠોડ અને જયેશ ઝાલાને આ અંગેની જાણ થતા સાથી યુવાનો સાથે ત્યાં પહોંચ્યા હતા. અને જર્જરિત કૂવામાં જીવના જોખમે ઉતરીને 4 કલાકની ભારે જહેમત બાદ બિલાડીને સુરક્ષિત બહાર કાઢીને સફળ રેસ્ક્યુ કર્યું હતું અને બાદમાં તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવી હતી

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.