સુરેન્દ્રનગર: નવ નિર્મિત પુલ પર માત્ર એક સપ્તાહમાં તિરાડો પડતાં સ્થાનિક રહીશો રોષ

પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

New Update
સુરેન્દ્રનગર: નવ નિર્મિત પુલ પર માત્ર એક સપ્તાહમાં તિરાડો પડતાં સ્થાનિક રહીશો રોષ

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા દ્વારા લોકો તેમજ વાહનચાલકોને પડતી હાલાકી તેમજ ચોમાસા દરમિયાન કૉઝવે પર પાણી ભરાઈ રહેતા પડતી હાલાકીને ધ્યાને લઈ જીલ્લા પંચાયત પાસે ભોગાવો નદી પરના કોઝવેને લઈને અંદાજે ૦૫ કરોડના ખર્ચે બનનાર પુલની કામગીરી છેલ્લા ૦૪ વર્ષથી ચાલી રહી હતી. જે કામગીરી તાજેતરમાં પૂર્ણ થતા ગત તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ પુલના લોકાર્પણના પાંચ થી છ દિવસમાં જ પુલમાં તિરાડો પડી જતા કોન્ટ્રાકટરની નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે. પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાકટરની મીલીભગતથી કોઈપણ જાતની ચકાસણી કે રિપોર્ટ વગર જ પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે. આ નવનિર્મિત પુલ પર થી દરરોજ મુળી અને રાજકોટ તરફ અવરજવર કરતી એસટી બસો, ટ્રક, ડમ્પર, રિક્ષા સહિતના ભારે વાહનો પસાર થાય છે તેમજ ખેરાળી રોડ પર બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓમાં કામ અર્થે અનેક અરજદારો અને અધિકારીઓ પણ આ પુલનો ઉપયોગ કરે છે ત્યારે લોકાર્પણના પાંચ દિવસમાં જ પુલમાં તિરાડો પડી જતા આગામી દિવસોમાં પુલ ધરાશાયી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.