સુરેન્દ્રનગર : પેપરમીલમાં ભીષણ આગને પગલે નાસભાગ,આર્મીની પણ લેવામાં આવી મદદ

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મીલમાં શનિવાર 22મી માર્ચના રોજ બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી.

New Update
  • પેપરમીલમાં ભીષણ આગથી નાસભાગ

  • પેપર રોલ્સ,પૂંઠાનો જથ્થો આગમાં બળીને ખાખ

  • ભીષણ આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડે કર્યો પ્રયાસ

  • આર્મીની મદદ પણ લેવામાં આવતા આગ આવી કાબુમાં

  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન 

Advertisment

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મીલમાં શનિવાર 22મી માર્ચના રોજ બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી.જે આગ બેકાબુ બનતા અન્ય જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા,જ્યારે ઘટનામાં આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ ગામ નજીક આવેલી પેટસન પેપર મીલમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. તંત્રના અધિકારીઓ સહિત ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પેપર મીલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલપુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે.

અમદાવાદરાજકોટસુરેન્દ્રનગરવઢવાણ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સેનાના જવાનો પણ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેને પગલે હાલ આગ ઘટનાના 20 કલાક બાદ કાબૂમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નહોતી.

 

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment