સુરેન્દ્રનગર: વાવાઝોડાના પગલે પાટડીના રણમાંથી અગરિયાઓનું સ્થળાંતર, તંત્ર બન્યુ એલર્ટ

બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

New Update
સુરેન્દ્રનગર: વાવાઝોડાના પગલે પાટડીના રણમાંથી અગરિયાઓનું સ્થળાંતર, તંત્ર બન્યુ એલર્ટ

બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

બીપરજોઈ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે 14 અને 15 જૂને આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થવાની છે ત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ધીમે ધીમે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે 14 અને 15 જૂને આ વાવાઝોડું ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી જશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય સરકાર અને તંત્ર સાબદુ બન્યું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ વાવાઝોડાના પગલે પ્રતિ કલાકે 60 કિ.મી ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે 14 અને 15 જૂન ના રોજ આ પ્રકારની અસર સર્જાવા ની છે ત્યારે આ જ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ સતત બની અને ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે રણ પ્રદેશ આવેલો છે ત્યાંથી અગરિયાઓને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રણમાં મીઠું પકવતા આગરીયાઓને ખાસ કરી ગામ તરફ આવી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે ત્યારે ૯૦ ટકા જેટલી કામગીરી અગરિયાઓને ગામ તરફ લાવવાની પૂરી કરવામાં આવી છે

Read the Next Article

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા

New Update
shobhnaben baraiya

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેન જલ્દી શરૂ થાય તેમજ હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના અસારવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છેત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધુરી છેત્યારે શુક્રવારે સાબરકાંઠાના સાંસદે હિંમતનગરમાં રેલ્વેના અમદાવાદવડોદારા અને અજમેર ડીવીઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

જેના પ્રત્યુતરમાં રેલ્વેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ગમે ત્યારે અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

હિંમતનગર ખાતે યોજાયેલ રેલ્વે અધિકારીઓે સાથેની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયારમણલાલ વોરાજિલ્લા કલેકટર નારાણયસીંગ સાંદુ સહિત અન્ય અધિકારીઓ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલ્વે તંત્ર સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટીબધ્ધ છેત્યારે જલ્દીથી અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે.

જે ટૂંક સમયમાં શરૂ થવાની શકયતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડીવીઝનના સિવિલ વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફે કરવામાં આવ્યા હતા. જેથી આગામી સમયમાં સાંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલ્વેના અધિકારીઓ સત્વરે ડિવીઝન મેનેજરને સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો.

તો બીજી તરફહિંમતનગરઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલ્વે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજુ કરાઈ હતી. જે સત્વરે પૂર્ણ કરવા માટે રેલ્વે તંત્ર કટીબધ્ધ છેતેવું કહેવાયું હતું. સાથો સાથ પ્રર્વતમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યાસમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજુઆત કરી હતી.

Latest Stories