સુરેન્દ્રનગર : ભત્રીજીના ધામધૂમપૂર્વક લગ્ન કરવાની ઈર્ષાએ પાડોશીઓએ કાકાને રહેંશી નાખ્યો, 3 શખ્સોની ધરપકડ...

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની ઈર્ષા રાખી પાડોશીઓએ કાકાની હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે

New Update
  • સાયલા પંથકમાં લગ્નપ્રસંગ મામલે ખેલાયો ખૂની ખેલ

  • ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની રાખી હતી ઈર્ષા

  • પાડોશીઓએ કાકાની હત્યા નિપજાવતા પંથકમાં ચકચાર

  • હત્યા મામલે પોલીસ દ્વારા 3 શખ્સોની ધરપકડ કરાય

  • અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી ધરપકડની કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની ઈર્ષા રાખી પાડોશીઓએ કાકાની હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છેજ્યારે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા લૂંટ અને મારામારી સહિતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છેત્યારે સાયલા ગામમાં વાસુકીનગરમાં ભત્રીજીના ધામધૂમપૂર્વક લગ્નની ઈર્ષા રાખી 2 પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ભત્રીજીના કાકા હિંમતભાઈ પંડ્યાની હત્યા થઈ હતી. મળતી માહિતી અનુસારમૃતક હિંમતભાઈ પંડ્યાની ભત્રીજીના થોડા દિવસ પહેલા જ લગ્ન હતાત્યારે આ લગ્ન ધામધૂમપૂર્વક કર્યા હોયજેની પાડોશીએ ઈર્ષા રાખી મોબાઈલ સ્ટેટસમાં ફોટા અપલોડ કરીને અભદ્ર મેસેજ મુકતા હોવાથી મૃતકના પરિવારજનો આરોપીના ઘરે ઠપકો આપવા ગયા હતા.

જેમાં બોલાચાલી બાદ મામલો બીચક્યો હતોત્યારે 5 શખ્સોએ ભત્રીજીના કાકા હિંમત પંડ્યા પર તીક્ષ્ણ હથિયારછરીતલવાર અને લાકડી જેવા મારક હથિયારો વડે ગંભીર ઈજા પહોંચાડી હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે મૃતકના ભાઈએ પાડોશમાં રહેતા નરેશ અઘારાગિરધર અઘારામુકેશ અઘારારાજન અઘારાઉમંગ અઘારા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતીત્યારે પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેજ્યારે અન્ય 2 શખ્સોની ધરપકડના પણ ચક્રો ગતિમાન કર્યા છે.

 

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.