સુરેન્દ્રનગર : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે જનસભા યોજાય...

સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષ સેવા, સુશાસન તેમજ ગરીબ કલ્યાણ અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે

New Update
સુરેન્દ્રનગર : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે જનસભા યોજાય...

કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના જિલ્લાના વઢવાણ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં જનસભા યોજાય હતી.

Advertisment W3.CSS

સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષ સેવા, સુશાસન તેમજ ગરીબ કલ્યાણ અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ ભક્તિનંદન સર્કલ ખાતે સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારની જનસભાનુ આયોજન કરવામા આવ્યું હતું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામા વિશાળ જનસભા યોજાઈ હતી. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૦૯ વર્ષના સુશાસન દરમિયાન થયેલ વિવિધ વિકાસના કામો તેમજ અલગ અલગ સરકારી યોજનાઓ વિશે ઉદબોધન કરી સરકારની વિકાસ ગાથા રજુ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો પણ કર્યા હતા. આ સભામાં અનેક હોદેદારો, આગેવાનો, કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.