સુરેન્દ્રનગર:માત્ર 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવંત મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાના હરીપર ગામે પાષાણ હૃદય ધરાવતી જનેતાનું કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય પ્રકાશમાં આવ્યું છે,માત્ર 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવંત મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

New Update

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હરીપર ગામનો બનાવ

જંગલમાંથી જમીનમાં દાટી દીધેલ જીવીત બાળકી મળી આવી 

નિષ્ઠુર માતાએ 3 દિવસની બાળાને તરછોડી 

સ્થાનિક માલધારીએ બાળકીને સારવાર અર્થે ખસેડી 

પોલીસે ચકચારી ઘટનાની તપાસ કરી શરૂ  

સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાના હરીપર ગામે પાષાણ હૃદય ધરાવતી જનેતાનું કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય પ્રકાશમાં આવ્યું છે,માત્ર 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવંત મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવીત મળતા ચકચાર મચી છે.ધ્રાંગધ્રાના હરીપુરા ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો.અને તેઓએ તપાસ કરતા માસુમ બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી.આ અંગે માલધારીએ જાણ કરતા અન્ય લોકો દોડી આવ્યા અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈ જવાઈ તે રિક્ષાનું પગેરૂ પોલીસે શોધી કાઢ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી,એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે.તેમજ હાલમાં બાળકી સારવાર હેઠળ છે. 

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.