સુરેન્દ્રનગર:માત્ર 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવંત મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાના હરીપર ગામે પાષાણ હૃદય ધરાવતી જનેતાનું કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય પ્રકાશમાં આવ્યું છે,માત્ર 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવંત મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

New Update

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હરીપર ગામનો બનાવ

જંગલમાંથી જમીનમાં દાટી દીધેલ જીવીત બાળકી મળી આવી 

નિષ્ઠુર માતાએ 3 દિવસની બાળાને તરછોડી 

સ્થાનિક માલધારીએ બાળકીને સારવાર અર્થે ખસેડી 

પોલીસે ચકચારી ઘટનાની તપાસ કરી શરૂ  

સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાના હરીપર ગામે પાષાણ હૃદય ધરાવતી જનેતાનું કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય પ્રકાશમાં આવ્યું છે,માત્ર 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવંત મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવીત મળતા ચકચાર મચી છે.ધ્રાંગધ્રાના હરીપુરા ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો.અને તેઓએ તપાસ કરતા માસુમ બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી.આ અંગે માલધારીએ જાણ કરતા અન્ય લોકો દોડી આવ્યા અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈ જવાઈ તે રિક્ષાનું પગેરૂ પોલીસે શોધી કાઢ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી,એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે.તેમજ હાલમાં બાળકી સારવાર હેઠળ છે. 

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.