સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા જનતા જીન ખાતે દ્વિતીય બોદ્ધ ધમ્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો
ધ્રાંગધ્રા જનતા જીન ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય ભવ્ય બોદ્ધ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
BY Connect Gujarat Desk5 March 2024 5:06 AM GMT
X
Connect Gujarat Desk5 March 2024 5:06 AM GMT
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જનતા જીન ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય ભવ્ય બોદ્ધ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા જનતાજીન ખાતે દ્રિતીય ભવ્ય બોદ્ધ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા.આ સમુહલગન બોદ્ધ ધમ્મના વિચારો પંચશીલ વિધિ મુજબ કરવામા આવ્યા હતા જેમાં 11 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા.આ પ્રસંગે ઉદ્યોગપતિ જયેશ પટેલ, કોંગ્રેસના જીલ્લા પ્રમુખ નવસાદ સોલંકી, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા,સહીત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમૂહલગ્નનું આયોજન પ્રમૂખ શાંતીલાલ રાઠોડ, મંત્રી રામજી વાઢેર, કાનજી રાઠોડ, આર કે વાઘેલા,બી કે મકવાણા, નટવર સુમેરા સહિતના આગેવાનો દ્વારા કરાયું હતું
Next Story