સુરેન્દ્રનગર : એ.આર.એસ.સખીદા આર્ટસ કોલેજના વાર્ષિક ઉત્સવમાં આશીર્વચન પાઠવતા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય

વાર્ષિક ઉત્સવમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓની ઉપસ્થિતિથી વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

New Update
  • એ.આર.એસ.સખીદા આર્ટ્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવ ઉજવાયો

  • દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય રહ્યા ખાસ ઉપસ્થિત

  • શંકરાચાર્યની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

  • વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ કરાય રજૂ

  • શંકરાચાર્યના આશીવર્ચનનો લ્હાવો લેતા વિદ્યાર્થીઓ

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. સખીદા આર્ટ્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય પણ વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ.સખીદા આર્ટસ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓની ઉપસ્થિતિથી વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જયારે લીંબડી જગદીશ આશ્રમ ખાતે પણ શંકરાચાર્યએ હાજરી આપી હતી.કોલેજના વાર્ષિક ઉત્સવમાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીએ યુવાનો તેમજ વિદ્યાર્થીઓને સનાતન હિન્દુ ધર્મનું મહત્વ સમજાવી આશીર્વચન પાઠવ્યા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment