સુરેન્દ્રનગર : એ.આર.એસ.સખીદા આર્ટસ કોલેજના વાર્ષિક ઉત્સવમાં આશીર્વચન પાઠવતા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય

વાર્ષિક ઉત્સવમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓની ઉપસ્થિતિથી વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

New Update
  • એ.આર.એસ.સખીદા આર્ટ્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવ ઉજવાયો

  • દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય રહ્યા ખાસ ઉપસ્થિત

  • શંકરાચાર્યની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

  • વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ કરાય રજૂ

  • શંકરાચાર્યના આશીવર્ચનનો લ્હાવો લેતા વિદ્યાર્થીઓ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. સખીદા આર્ટ્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય પણ વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ.સખીદા આર્ટસ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓનીઉપસ્થિતિથી વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જયારે લીંબડી જગદીશ આશ્રમ ખાતે પણ શંકરાચાર્યએ હાજરી આપી હતી.કોલેજના વાર્ષિક ઉત્સવમાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીએ યુવાનો તેમજ વિદ્યાર્થીઓને સનાતન હિન્દુ ધર્મનું મહત્વ સમજાવી આશીર્વચન પાઠવ્યા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.