સુરેન્દ્રનગર : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાનાં નિવેદનને વખોડયું

New Update
સુરેન્દ્રનગર : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાનાં નિવેદનને વખોડયું

સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પધાર્યા

શક્તિસિંહ ગોહિલે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી

પૂર્વ ધારાસભ્યના અવસાનને લઈ પરિવારને સત્વના આપી

પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવેનું થયું હતું અવસાન

પરસોત્તમ રૂપાલાના નિવેદનને સમાજ વિરુદ્ધ ગણાવ્યું

લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી.

સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર પધારેલ કોંગ્રેસ પ્રમુખે પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવેનું અવસાન થતાં તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે રાજકીય નેતાઓએ કોઈપણ જ્ઞાતિ વિશે બોલવામાં સંયમ રાખવું જોઈએ અને આવા ખોટા વ્યભિચાર કે અપશબ્દ કોઈ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ ન બોલવા જોઈએ.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.