સુરેન્દ્રનગર : સુરસાગર ડેરીની 48મી વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલન સમારોહ યોજાયો...

New Update
સુરેન્દ્રનગર : સુરસાગર ડેરીની 48મી વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલન સમારોહ યોજાયો...

સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંધે પોતાનું મહા મહેનતે અસ્તિત્વ ટકાવી રાખ્યું અને ધણી બધી આપદાઓ વેઠી મુશ્કેલીઓનો સામનો કરી ધણા ટુંકા સમયમાં એટલે કે, વર્ષ 2008માં સુરસાગર ડેરીમાં ભાજપનું બોર્ડ આવતા અને ભાજપની સરકારના સાથ અને સહકારથી વિકાસમાં હરણફાળ ભરી આજ સુધી પ્રગતિના શિખરો સર કરતી રહી છે. જે સૌથી મોટી સહકારી ઔધોગિક સાહસ કે, જે દૂધ સંપાદનમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા સહકારી ડેરી તરીકે ખ્યાતિ ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંધ દ્વારા જિલ્લાના તમામ ગામડાઓમાં દૂધ સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે, તારે સુરસાગર ડેરીની સને 2022-23ના વર્ષની વાર્ષિક સાધારણ સભા લીંબડી ખાતે મળી હતી. જેમાં જિલ્લાની દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુરસાગર ડેરીના ચેરમેન બાબા ભરવાડ દ્વારા સભા સંબોધન દરમ્યાન દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 837/– કરવાની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ દૂધ સંઘ દ્વારા દૂધ મંડળીના સભાસદો કે, જેઓ દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હોય તેવા કોઈપણ સભાસદનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા સભાસદના વારસદારોને ડેરી દ્વારા મદદરૂપ થઇ શકે તે માટે ડેરી સભાસદોનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે. સમગ્ર સાધારણ સભા અને સ્નેહમિલન સમારોહ દરમ્યાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સુરસાગર ડેરીના ચેરમેન બાબા ભરવાડ, જિલ્લાના પશુપાલકો, ડેરીના કર્મચારીઓ, ડેરીના ડિરેક્ટરો, મંડળીના સભ્યો, પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories