સુરેન્દ્રનગર : લખતર તાલુકાના બાળા ગામ નજીકનો બ્રિજ અતિ જર્જરિત, બ્રિજમાં પડ્યું 10 ફૂટનું મસમોટુ ગાબડુ....

લખતર તાલુકાના બાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પરનો બ્રિજ અતિ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.

New Update
સુરેન્દ્રનગર : લખતર તાલુકાના બાળા ગામ નજીકનો બ્રિજ અતિ જર્જરિત, બ્રિજમાં પડ્યું 10 ફૂટનું મસમોટુ ગાબડુ....

સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના બાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પરનો બ્રિજ અતિ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.

સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી પુલ દુર્ઘટના બાદ હવે બીજો બ્રિજ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે. મોતના માચડા સમાન આ જોખમી પુલ પર ગમે તે ઘડીએ અકસ્માત સર્જાઈ શકે એમ છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પંપીંગ સ્ટેશનથી આગળ બાળા ગામ પાસે નર્મદાની મુખ્ય બ્રાન્ચ કેનાલ ઉપરનો આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલત છે. સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ ઉપર આવેલા બ્રિજમાં 10 ફૂટનું મસમોટુ ગાબડુ પડ્યું છે. ત્યારે ગમે તે ઘડીએ આ બ્રિજ તૂટવાની અણી ઉપર હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. આ પુલની બંને પેરાફીટ ખસી ગઈ છે અને પુલના પિલ્લર પર તિરાડો પડી ગઈ છે. કોઈપણ ઘડીએ આ જોખમી પુલ ધરાશાઈ થઈ શકે છે. આથી લગતા વળગતા તંત્ર દ્વારા આ જોખમી પુલ કોઈ નિર્દોષ લોકોનો ભોગ લે એ પહેલા એનું તાકીદે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ લોકોએ ઉઠાવી છે.

Latest Stories