Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર:ચોટીલા નાળિયેરીમાં આધેડની હત્યા કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જુઓ શું હતો મામલો

સુરેન્દ્રનગર જિલ્લાના નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નારીયેળી ગામે દિકરીને ભગાડી જવા મામલે આધેડની હત્યાના બનાવમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરેન્દ્રનગર જિલ્લાના નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી.અને મેર પરિવારના બે જૂથો સામસામે આવી ગયા હતા આ મામલે 65 વર્ષીય વૃદ્ધ કાળા ભાઈ મેર નામના આધેડની નારીયેળી ગામમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે આ મામલે આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને જિલ્લા પોલીસવડા દ્વારા સોંપવામાં આવી હતી ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચિરોડા ઠાંગા વિડ વિસ્તારમાં સંતાયેલા 6 હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story