-
પુનર્વિકસિત રેલવે સ્ટેશનનું કરાયું લોકાર્પણ
-
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાયું આધુનિકીકરણ
-
પીએમ મોદીએ વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ
-
રૂ.10.55 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન થયું પુનર્વિકસિત
-
સીએમ,સાંસદ સહિત ધારાસભ્યો અને આગેવાનો રહ્યા ઉપસ્થિત
સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સાંસદ ચંદુ શિહોરા તેમજ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન લાંબા સમયથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે.જે ભાવનગર અને સુરત જેવા શહેરોને જોડે છે, અને આ પ્રદેશના વિકાસશીલ અર્થતંત્રને ટેકો આપે છે. દરરોજ 1500થી વધુ મુસાફરોની અવરજવર સાથે, આ સ્ટેશન મુસાફરોની અવરજવર અને સ્થાનિક વ્યવસાય બંનેને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ત્યારે રૂપિયા 10.55 કરોડના રોકાણ સાથે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકીકરણ કરાયેલા, સ્ટેશનમાં કાર્યક્ષમતા, સૌંદર્ય શાસ્ત્ર અને સમાવેશકતા વધારવાના હેતુથી પરિવર્તન કરવામાં આવ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ રેલવે મથકનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા,જિલ્લાના સાંસદ ચંદુ શિહોરા, ધારાસભ્યો કિરીટસિંહ રાણા,પી કે પરમાર, પ્રકાશ વરમોરા તેમજ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ભાવનગર રેલવે ડિવિઝનના ડી આર એમ રવિશ કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.