સુરેન્દ્રનગર : લીંબડી ખાતે પુનર્વિકસિત રેલવે સ્ટેશનનું વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું,સીએમ ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત

સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ  કરવામાં આવ્યું હતું.

New Update
  • પુનર્વિકસિત રેલવે સ્ટેશનનું કરાયું લોકાર્પણ

  • અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાયું આધુનિકીકરણ

  • પીએમ મોદીએ વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ

  • રૂ.10.55 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન થયું પુનર્વિકસિત 

  • સીએમ,સાંસદ સહિત ધારાસભ્યો અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ  કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સાંસદ ચંદુ શિહોરા તેમજ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન લાંબા સમયથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે.જે ભાવનગર અને સુરત જેવા શહેરોને જોડે છેઅને આ પ્રદેશના વિકાસશીલ અર્થતંત્રને ટેકો આપે છે. દરરોજ 1500થી વધુ મુસાફરોની અવરજવર સાથેઆ સ્ટેશન મુસાફરોની અવરજવર અને સ્થાનિક વ્યવસાય બંનેને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ત્યારે રૂપિયા 10.55 કરોડના રોકાણ સાથે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકીકરણ કરાયેલાસ્ટેશનમાં કાર્યક્ષમતાસૌંદર્ય શાસ્ત્ર અને સમાવેશકતા વધારવાના હેતુથી પરિવર્તન કરવામાં આવ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ રેલવે મથકનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા,જિલ્લાના સાંસદ ચંદુ શિહોરાધારાસભ્યો કિરીટસિંહ રાણા,પી કે પરમારપ્રકાશ વરમોરા તેમજ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ભાવનગર રેલવે ડિવિઝનના  ડી આર એમ રવિશ કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.