સુરેન્દ્રનગર : પાટડીમાં ત્રિદિવસીય રામોત્સવનો દબદબાભેર પ્રારંભ, ભવ્ય શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમાં ત્રિદિવસીય રામોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટડીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

New Update
  • પાટડી નગરપાલિકા પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • તા. 91011 જાન્યુઆરીના રોજ રામોત્સવનું આયોજન કરાયું

  • પાટડીમાં ત્રિદિવસીય રામોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો

  • ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમાં ત્રિદિવસીય રામોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટડીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા પરિવાર દ્વારા વિશ્વ હિન્દૂ પરિષદબજરંગ દળરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સાથ સહકારથી તા. 910 અને 11 જાન્યુઆરી-2025ના રોજ ભવ્ય ત્રિદિવસીય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર પાટડી નગરને રંગબેરંગી લાઈટોથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે. અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતા પાટડી નગરપાલિકા પરિવાર દ્વારા પાટડી નગરપાલિકા દ્વારા ત્રિદિવસીય રામોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પાટડીના રાજમાર્ગો પર રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ સાથે જ એકાદશી અન્નકૂટમહાઆરતીઆતીશબાજી અને ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા ભગવાનની અલગ અલગ ઝાંખીઓરામધૂનહનુમાન ચાલીસા પાઠ સહિતના ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાટડી ધારાસભ્ય પી.કે.પરમારપાલિકાના પ્રમુખ ચેતના ચંદારાણાઉપપ્રમુખ હિતેષ રાવલ સહિત મોટી સંખ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદબજરંગ દળરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.