સુરેન્દ્રનગર : જાખણ પાટિયા નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત, એક વ્યક્તિનું મોત...

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

New Update
સુરેન્દ્રનગર : જાખણ પાટિયા નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત, એક વ્યક્તિનું મોત...

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર નજીક લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર જાખણ ગામના પાટિયા નજીક એક સાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે 2 કાર અને એક ટ્રક વચ્ચે સર્જાયેલ ટ્રીપલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 4 વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisment