તાપી : ટોલ ટેક્સમાંથી સ્થાનિકોને મુક્તિની માંગ સાથે ચક્કાજામ, ને.હા.નં.53 પર લાગી વાહનોની લાંબી કતાર

તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. 

New Update
  • માંડલ ટોલનાકા પર વિરોધ પ્રદર્શન

  • સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ કરાઈ

  • સ્થાનિકો સાથે પૂર્વ સાંસદ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા 

  • પોલીસે આંદોલનકારીઓની કરી અટકાયત

  • નેશનલ હાઇવે પર ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી

તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. 

પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં જે જે શહેરમાં ટોલ પ્લાઝા છેત્યાંના સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે કહ્યું કેસુરતના કામરેજમાંવલસાડના વાપીમાં અને ભરૂચમાં ટોલ પ્લાઝા છે, ત્યાં સ્થાનિકોને મુક્તિ અપાય છેપણ વ્યારાના ટોલ પ્લાઝામાં તાપી જિલ્લાના લોકોને ટોલ ભરવો પડે છે અને તેમને લૂંટવામાં આવે છે. આના વિરોધમાં આજે આંદોલન કરનારાઓની પોલીસે અટકાયત કરી રહી છે.

સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે ટોલનાકાનો ઘેરાવો કર્યો હતો. આંદોલનકારીઓએ ટોલનાકાના મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમણે ચેતવણી આપી કે જો માંગણી નહીં સ્વીકારાય તો નેશનલ હાઇવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.