તાપી : "ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત" અંતર્ગત યોજાયેલ સાયક્લોથોનમાં 3700થી વધુ સાઈકલવીરોએ ભાગ લીધો.

તાપી જિલ્લામાં “ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત” અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
તાપી : "ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત" અંતર્ગત યોજાયેલ સાયક્લોથોનમાં 3700થી વધુ સાઈકલવીરોએ ભાગ લીધો.

તાપી જિલ્લામાં "ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત" અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સાયક્લોથોનમાં 3700થી વધુ સાઈકલવીરોએ ભાગ લીધો હતો.

રાજ્યના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે અને તેઓની શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે હેતુથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણીના ઉપલક્ષમાં રાજ્યકક્ષાએથી 'ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત" અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ ચલન થકી બીનચેપી રોગથી મુક્તિ મળે તે અન્વયે વહેલી સવારે તાપી જિલ્લા સેવા સદન ખાતેથી છીંડિયા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી સાયક્લોથોન યોજાય હતી. આ સાયક્લોથોનમાં 3700થી વધુ સાઈકલવીરો સાથે જિલ્લા વિકાસ અધિકારીએ પણ આશરે 10 કિલોમીટર સુધી સાઇકલ ચલાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. "ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત"ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના પ્રયાસને નગરજનોએ બિરદાવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.