ગુજરાત રાજ્યમાં તાપમાન’માં વધારો, આગામી 5 દિવસ યથાવત્ રહેશે ગરમીભર્યું વાતાવરણ...

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ, હવામાન વિભાગના અનુમાન અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીભર્યું વાતાવરણ યથાવત્ રહેશે.

New Update
  • ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો

  • આગાહીકારોના અનુમાન અનુસાર વાતાવરણમાં ઉકળાટ

  • ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનોમાં વધારો

  • આગામી 5 દિવસ ગરમી યથાવત : હવામાન વિભાગ

  • ગુજરાતવાસીઓએ ગરમીનો અનુભવ કરવો પડશે

Advertisment

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફહવામાન વિભાગના અનુમાન અનુસારરાજ્યમાં આગામી 5 દિવસ ગરમીભર્યું વાતાવરણ યથાવત્ રહેશે.

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં વધારો થવાથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનંિ લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. તથા મહત્તમ તાપમાન પણ કેટલા જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. જોકેહવામાન વિભાગની આગાહી મુજબહજુ પણ આગામી 5 દિવસ ગરમીભર્યું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે.

હાલ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ નહિવત છેતેથી ગુજરાતવાસીઓએ ગરમીનો અનુભવ કરવો પડશે. ગુજરાતના ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છેજેના કારણે રાજસ્થાન તરફના મેદાની પ્રદેશની ગરમ હવા ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે તાપમાન સતત વધી રહ્યું છે.

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment