જગવિખ્યાત તરણેતરના મેળાનું આકર્ષણ એટલે શણગારેલી પાઘડી અને છત્રી, જુઓ વિશેષ અહેવાલ

સુરેન્દ્રનગરના તરણેતરની આગવી ઓળખ સમી રંગબેરંગી છત્રીઓએ અનેરા આકર્ષણ સાથે દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે

New Update

સુરેન્દ્રનગરના તરણેતરની આગવી ઓળખ સમી રંગબેરંગી છત્રીઓએ અનેરા આકર્ષણ સાથે દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાન, ચોટીલા, મૂળી એ વિસ્તાર "પાંચાળ" ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ જોવા મળે છે.  કિંવદંતી અનુસાર, પાંડવો આ ભૂમિ પર આવેલા. દ્રોપદી અર્થાત પાંચાલીના નામ પરથી આ પ્રદેશ "પાંચાળ" કહેવાયો હોવાનું અનુમાન કરવામાં આવે છે. અર્જુને મત્સ્યવેધ અહીં કરેલો. આ વિસ્તારમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો યોજાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી અને માલધારી સમાજમાં આ મેળાનું સૌથી વધુ મહત્વ છે.તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ, મોતી, બટનિયાં, આભલાં, પાઘડી અને રૂમાલથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે.
સૌરાષ્ટ્રભરમાં અને પાંચાળ પ્રદેશમાં ફક્ત એક જ જગ્યાએથી પાઘડીઓ અને છત્રીઓ બનાવીને મોકલવામાં આવે છે. તે પછી સૌરાષ્ટ્રના કોઈપણ ગામ કે શહેરમાં, કોઈ નેતા કે અભિનેતાના સન્માનમાં થાનમાં આવેલી ભાયાભાઈની દુકાનની જ પાઘડીઓ હોય છે. પેઢી દર પેઢી લુપ્ત થતી આ કલાનો વારસો ભાયાભાઈનું કુટુંબ સાચવતું આવ્યુ છે. હાલ અમિતભાઈ દરજી આ વારસો આગળ ધપાવી રહ્યા છે.આ અંગે અમિતભાઈ જણાવે છે કે, મારા પિતા ભાયાભાઈના વારસાને આગળ વધારવા માટે હું આજે પણ આ વ્યવસાય કરી રહ્યો છું. તેઓ પાસે રૂપિયા ૫૦૦ થી લઈને ૨૦૦૦ સુધીની પાઘડીઓ હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જ તરણેતરના મેળા માટે અમે ૩૫૦ મીટર કાપડમાંથી મોટી છત્રી બનાવી છે. દિવસ રાત મહેનત કરી ૨૫ થી ૩૦ દિવસમાં આ છત્રીઓ તૈયાર કરી છે. 
Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.