“ગાર્ડ ઓફ ઓનર” : છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના જવાનની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું…

નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી

New Update
  • છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં ભાવનગરનો જવાન શહીદ

  • મૂળ સિહોર તાલુકાના દેવગાણા ગામનો જવાન શહીદ થયો

  • શહીદ જવાનના પાર્થિવ દેહને વતન દેવગાણા ગામ લવાયો

  • ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ જવાનને અંતિમ વિદાય અપાય

  • શહીદ જવાનની અંતિમયાત્રામાં નીકળતા ગામ હિબકે ચઢ્યું

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયેલ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામનાCRPF જવાનની વતનમાં અંતિમયાત્રામાં નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામનાCRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકી છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયા હતાત્યારે તેમના પાર્થિવદેહને અમદાવાદથી ભાવનગર સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો. આ દરમિયાન અમદાવાદથી વતન જતાં ઠેરઠેર તેમના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વાનની સાથે બાઈક રેલી પણ નીકળી હતી.

ક્સલવાદી હુમલામાં શહીદCRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી હતી. તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહને માર્ગો પર લોકોએ તિરંગા અનેશહીદ અમર રહોના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદની શહાદતને વંદન કર્યા હતા.

આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ જવાનને અંતિમ વિદાય અપાય હતી. શહીદ જવાનની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. શહીદની અંતિમવિધિમાં કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુ બાંભણીયાવડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, CRPFના અધિકારીઓભાવનગર કલેક્ટરજિલ્લા પોલીસ વડા સહિતના હજારો લોકો જોડાયા હતા.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.