“ગાર્ડ ઓફ ઓનર” : છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના જવાનની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું…

નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી

New Update
  • છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં ભાવનગરનો જવાન શહીદ

  • મૂળ સિહોર તાલુકાના દેવગાણા ગામનો જવાન શહીદ થયો

  • શહીદ જવાનના પાર્થિવ દેહને વતન દેવગાણા ગામ લવાયો

  • ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ જવાનને અંતિમ વિદાય અપાય

  • શહીદ જવાનની અંતિમયાત્રામાં નીકળતા ગામ હિબકે ચઢ્યું

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયેલ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના CRPF જવાનની વતનમાં અંતિમયાત્રામાં નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકી છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયા હતાત્યારે તેમના પાર્થિવદેહને અમદાવાદથી ભાવનગર સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો. આ દરમિયાન અમદાવાદથી વતન જતાં ઠેરઠેર તેમના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વાનની સાથે બાઈક રેલી પણ નીકળી હતી.

ક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી હતી. તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહને માર્ગો પર લોકોએ તિરંગા અને શહીદ અમર રહોના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદની શહાદતને વંદન કર્યા હતા.

આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ જવાનને અંતિમ વિદાય અપાય હતી. શહીદ જવાનની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. શહીદની અંતિમવિધિમાં કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુ બાંભણીયાવડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, CRPFના અધિકારીઓભાવનગર કલેક્ટરજિલ્લા પોલીસ વડા સહિતના હજારો લોકો જોડાયા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.