સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા આટલા દિવસ રહેશે બંધ,જુઓ કેમ લેવાયો નિર્ણય
સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ પાવાગઢમાં રોપવે સુવિધા 16 થી 21 તારીખ સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
BY Connect Gujarat12 Jan 2023 10:04 AM GMT
X
Connect Gujarat12 Jan 2023 10:04 AM GMT
સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ પાવાગઢમાં રોપવે સુવિધા 16 થી 21 તારીખ સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ સેંકડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને હજારો યાત્રાળુઓ પાવાગઢ પહોંચે છે જો કે તંત્ર દ્વારા પાવાગઢ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રધામ પાવાગઢ ખાતે રોપ - વે સુવિધા 16 થી 21 તારીખ સુધી બંધ રાખવામાં આવશે.વાર્ષિક સમારકામના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે પાવાગઢ પહોંચતા શ્રધ્ધાળુઓએ પગથિયા ચઢી માતાજીનાં દર્શન માટે જવું પડશે
Next Story