વિશ્વની સૌથી મોટી કેરી “નૂરજહાં” અને સૌથી મોંઘી “જાપાનીઝ” કેરી અરવલ્લીના ખેતરમાં ખીલી ઉઠી, શિક્ષક ખેડૂતની મહેનત રંગ લાવી...

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

New Update
  • ધનસુરા તાલુકાના શિકા ગામના પ્રગતિશીલ શિક્ષક ખેડૂત

  • વિજ્ઞાનના શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે કરી બતાવી ખેતી

  • દોઢ વીઘા જમીનમાં 400 ઉપરાંત કેરીના છોડનું વાવેતર

  • કેરીના 35 જાતના છોડ વાવી સૌકોઈને અચંબામાં મુકી દીધા

  • પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા

કેરીનું નામ સામે આવે એટલે સૌના મોઢામાં પાણી આવી જાય છેત્યારે અરવલ્લી જિલ્લાના વિજ્ઞાન વિષયના શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે દોઢ વીઘામાં 400 ઉપરાંત કેરીના 35 જાતના છોડ વાવીને સૌ કોઈને અચંબામાં મુકી દીધા છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક ખેડૂતપુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. પોતાના ખેતરમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંતવિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે.

આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂતપુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે. તેમણે કલમ (Grafting) પદ્ધતિનો ઉપયોગ કરી એક જ છોડ પર 3 થડ પેદા કરવામાં સફળતા મેળવી છે. આ પદ્ધતિ દ્વારા તેમણે ન માત્ર ઉત્પાદન વધાર્યું છેપરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો છે. તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમની વ્યક્તિગત સિદ્ધિ ગુજરાતના અન્ય ખેડૂતો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ છે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.