વિશ્વની સૌથી મોટી કેરી “નૂરજહાં” અને સૌથી મોંઘી “જાપાનીઝ” કેરી અરવલ્લીના ખેતરમાં ખીલી ઉઠી, શિક્ષક ખેડૂતની મહેનત રંગ લાવી...

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

New Update
  • ધનસુરા તાલુકાના શિકા ગામના પ્રગતિશીલ શિક્ષક ખેડૂત

  • વિજ્ઞાનના શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે કરી બતાવી ખેતી

  • દોઢ વીઘા જમીનમાં 400 ઉપરાંત કેરીના છોડનું વાવેતર

  • કેરીના 35 જાતના છોડ વાવી સૌકોઈને અચંબામાં મુકી દીધા

  • પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા

કેરીનું નામ સામે આવે એટલે સૌના મોઢામાં પાણી આવી જાય છેત્યારે અરવલ્લી જિલ્લાના વિજ્ઞાન વિષયના શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે દોઢ વીઘામાં 400 ઉપરાંત કેરીના 35 જાતના છોડ વાવીને સૌ કોઈને અચંબામાં મુકી દીધા છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક ખેડૂતપુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. પોતાના ખેતરમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંતવિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે.

આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂતપુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે. તેમણે કલમ (Grafting) પદ્ધતિનો ઉપયોગ કરી એક જ છોડ પર 3 થડ પેદા કરવામાં સફળતા મેળવી છે. આ પદ્ધતિ દ્વારા તેમણે ન માત્ર ઉત્પાદન વધાર્યું છેપરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો છે. તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમની વ્યક્તિગત સિદ્ધિ ગુજરાતના અન્ય ખેડૂતો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ છે.

Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.