નર્મદા :  વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરી ભાવવંદના કરતા કેન્દ્રીય રાજયમંત્રી નીમુ બાંભણીયા

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણીયાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

New Update
  • સરદાર પટેલની 150મી જન્મજયંતિનો પ્રસંગ 

  • કેન્દ્રીય રાજ્યમંત્રીએ SoUની લીધી મુલાકાત

  • સરદાર સાહેબને મંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી

  • ભવ્યાતિભવ્ય પ્રતિમા નિહાળી મંત્રી અભિભૂત

  • નોંધપોથીમાં મંત્રીએ ભાવસભર પ્રતિભાવો નોંધ્યા 

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએએકતા નગરની મુલાકાત વેળાએ સૌ પ્રથમ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રથમ નજરે સરદાર સાહેબની ભવ્યાતિભવ્ય પ્રતિમા નિહાળી તેઓ અભિભૂત થયા હતા. તેમણેસરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ પ્રદર્શન ગેલેરીની મુલાકાત લઈને સરદાર સાહેબના જીવન કવનસ્વતંત્રતા ચળવળ અને દેશી રજવાડાઓના એકીકરણ અંગેના દસ્તાવેજો તથા તસવીરી ઝલકો નિહાળી અને વ્યૂઇંગ ગેલેરી ખાતેથી વિધ્યાંચલ અને સાતપુડાની ગિરીમાળાઓઆસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.

મંત્રીએ ખાસ કરીને હાલમાં જ પ્રદર્શન કક્ષ ખાતે નિર્માણ કરાયેલા નવા વિભાગની મુલાકાત કરી હતીઆ વિભાગમાં સરદાર પટેલ પર આઝાદીની ચળવળ અને ભારતના એકીકરણ સમયે ભાવનગર અને વડોદરા શહેરમાં થયેલ હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મુલાકાતના અંતે મંત્રીએ નોંધપોથીમાં પોતાના ભાવસભર પ્રતિભાવો નોંધ્યા હતા.

આ મુલાકાત દરમિયાન  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયાદર્શક વિઠલાણીનાયબ કલેકટર,નાયબ પ્રોટોકોલ કલેક્ટર એન.એફ.વસાવા અને જિલ્લા પુરવઠા અધિકારી વી.બી.દરજી ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories