-
પાકિસ્તાનને તુર્કીએ કરી હતી મદદ
-
ઘટનાના પડઘા વેપારીઓમાં પડ્યા
-
તુર્કીના 13 મણ સફરજનનો કચરાપેટીમાં કરાયો નાશ
-
તુર્કીના વિરોધનો પ્રવાસન ક્ષેત્રે પણ પડ્યો છે પડઘો
-
તુર્કીથી આવતા ફળનો સંપૂર્ણ પણે કરાયો બહિષ્કાર
ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ તણાવમાં તુર્કી દ્વારા દુશ્મન દેશને સમર્થન આપીને મદદ કરવામાં આવી હતી,જેના ઘેરા પડઘા નવસારીના ફળોના વેપારીઓમાં પડ્યા છે.અને તુર્કીથી આવતા સફરજનનો સંપૂર્ણ પણે બહિષ્કાર કરવામાં આવ્યો છે.
નવસારીમાં એપીએમસીના વેપારી ચંદુલાલ ભાઠેજાએ દુશ્મન દેશ પાકિસ્તાનને સમર્થન આપનાર તુર્કીનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે તુર્કીથી આયાત કરેલા 13 મણ સફરજનને કચરાપેટીમાં નાખી દઈને નાશ કર્યો છે.ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનના વિરોધમાં લેવામાં આવ્યું છે. તુર્કીએ પાકિસ્તાનને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી હતી, જેના કારણે ભારતીયોમાં તુર્કી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
વેપારીઓએ ભવિષ્યમાં પણ તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ વિરોધનો પડઘો પ્રવાસન ક્ષેત્રે પણ જોવા મળી રહ્યો છે. ઘણા ભારતીય પ્રવાસીઓએ તુર્કીના પ્રવાસના તમામ બુકિંગ રદ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.