નવસારી : APMCમાં આંતરરાષ્ટ્રીય ફળોના વેપારીએ તુર્કીનાં સફરજનનો કર્યો બહિષ્કાર,13 મણ ફળ કચરાપેટીમાં નાખી દઈને કર્યો નાશ

નવસારી APMCમાં વેપારીએ તુર્કી દેશ વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાવ્યો છે અને તુર્કીથી આયાત કરેલા 13 મણ સફરજનને કચરાપેટીમાં નાખી દઈને નાશ કર્યો..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાકિસ્તાનને તુર્કીએ કરી હતી મદદ

  • ઘટનાના પડઘા વેપારીઓમાં પડ્યા

  • તુર્કીના 13 મણ સફરજનનો કચરાપેટીમાં કરાયો નાશ

  • તુર્કીના વિરોધનો પ્રવાસન ક્ષેત્રે પણ પડ્યો છે પડઘો

  • તુર્કીથી આવતા ફળનો સંપૂર્ણ પણે કરાયો બહિષ્કાર 

ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ તણાવમાં તુર્કી દ્વારા દુશ્મન દેશને સમર્થન આપીને મદદ કરવામાં આવી હતી,જેના ઘેરા પડઘા નવસારીના ફળોના વેપારીઓમાં પડ્યા છે.અને તુર્કીથી આવતા સફરજનનો સંપૂર્ણ પણે બહિષ્કાર કરવામાં આવ્યો છે.

નવસારીમાં એપીએમસીના વેપારી ચંદુલાલ ભાઠેજાએ દુશ્મન દેશ પાકિસ્તાનને સમર્થન આપનાર તુર્કીનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે તુર્કીથી આયાત કરેલા 13 મણ સફરજનને કચરાપેટીમાં નાખી દઈને નાશ કર્યો છે.ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનના વિરોધમાં લેવામાં આવ્યું છે. તુર્કીએ પાકિસ્તાનને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી હતીજેના કારણે ભારતીયોમાં તુર્કી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

વેપારીઓએ ભવિષ્યમાં પણ તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ વિરોધનો પડઘો પ્રવાસન ક્ષેત્રે પણ જોવા મળી રહ્યો છે. ઘણા ભારતીય પ્રવાસીઓએ તુર્કીના પ્રવાસના તમામ બુકિંગ રદ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.