ગીર સોમનાથ: સુત્રાપાડાના બરૂલામાં માટી કૌભાંડમાં કલેકટરના તપાસના આદેશથી ખળભળાટ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂલા ગામમાં માટી કૌભાંડમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપતા ચકચાર મચી ગઈ હતી.

New Update

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂલા ગામમાં માટી કૌભાંડમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપતા ચકચાર મચી ગઈ હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના બરૂલા ગામમાં માટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું,અને આ અંગેની ફરિયાદ ઉઠી હતી,જે કૌભાંડ અંગે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ કડક તપાસના આદેશ આપ્યા છે ,જેના કારણે કૌભાંડીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે. માટી ખોદવાના કારણે તળાવમાં મોટું નુકસાન થયું હતું, જિલ્લા કલેકટર દ્વારા જોખમી સ્થિતિ માં ફેરવાયેલા તળાવનું યુદ્ધ ના ધોરણે સમારકામ શરુ કરવામાં આવ્યું છે. જ્યારે ક્ષતિગ્રસ્ત તળાવના પાળાની પણ મરામત કરવામાં આવી રહી છે. રાજકીય આશીર્વાદ હેઠળ NHAI ના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ઉઠાવી લીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.   
વધુમાં માટી કૌભાંડને પગલે બરૂલા થી આલિદ્રા ને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ સેવાઈ રહી છે, અને આ ઘટનામાં માટી ઉઠાવવા માટે અપાયેલ મંજુરી શંકાના દાયરામાં આવતા હજારો મેટ્રિક ટન માટી ની રોયલ્ટી ચોરી નું પણ મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ સાથે DDO પાસેથી પણ અહેવાલ મંગાવ્યો છે.ઉલ્લેખનીય છે કે માટી કૌભાંડમાં નક્કર તપાસ થાય તો રાજકીય માથાઓની સંડોવણી પણ બહાર આવે તેવી અટકળો પણ શરુ થઇ છે.
Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

New Update
  • ઉચેડીયામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી

  • ખાડી પર બ્રિજના અભાવે ખડૂતો પરેશાન

  • જીવન જોખમે ખાડી પસાર કરતા ગ્રામજનો

  • ખેડૂતોએ ખેતી કરવી પણ બન્યું મુશ્કેલરૂપ

  • સ્થાનિક તંત્રને રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • ગ્રામજનો ખાડીના જોખમ સાથે બન્યા લાચાર 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે.ઉચેડીયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છેઅહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે.ઉચેડીયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે.

ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડીયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છેત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે.

ઉચેડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. દસ વર્ષ દરમિયાન પાંચથી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છેતેથી ઉચેડીયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે.તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.