ગુજરાત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી,આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

અમદાવાદ,સુરત,અમરેલી ,અરવલ્લી,વલસાડ,ભરૂચ સહિતના જિલ્લાઓમાં પણ પતંગરસિકોએ ઉત્સાહભેર પતંગ પર્વની ઉજવણી કરી અમિત શાહે મેમનગરમાં પરિવાર સાથે પતંગોત્સવ નિમિત્તે પતંગ ચગાવી

New Update
  • રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી 

  • કેન્દ્રીય ગૃહમંત્રીએ કાપ્યા પેચ 

  • ઉત્સવપ્રિય લોકો કરી ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી 

  • સાંસદ,ધારાસભ્ય સહિત લોકોએ પતંગ ચગાવી

  • સુરત પોલીસ કમિશનરે પણ પતંગ ઉડાવવાની મોજ માણી 

ઉત્તરાયણના તહેવારની સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ,સુરત,અમરેલી ,અરવલ્લી,વલસાડ,ભરૂચ સહિતના જિલ્લાઓમાં પણ પતંગરસિકોએ ઉત્સાહભેર પતંગ પર્વની ઉજવણી કરી હતી.જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેમનગરમાં પરિવાર સાથે પતંગોત્સવ નિમિત્તે પતંગ ચગાવી હતી.

અમદાવાદના મેમનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પરિવારજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી,જાણવા મળ્યા મુજબ અમિત શાહે બે પેચ કાપ્યા બાદ તેમની પતંગ કપાઈ હતી,આ ક્ષણે તેઓ ખુબ ખુશ થયા હતા અને સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે  અમરેલીમાં સહકારી નેતા દિલીપ સંઘાણીએ પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી,અને ચકચારી પાયલ ગોટી પ્રકરણ મુદ્દે પીએન તેઓએ પોલીસે કરેલી કામગીરીને વખોડી કાઢી હતી,તેમજ નકલી લેટર કાંડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ તેવી પ્રતિક્રિયા દિલીપ સંઘાણીએ આપી હતી.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ઉતરાયણની ઉજવણીમાં ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ 1 ચૂંટણી લખેલા સ્લોગનો સાથેની પતંગો બાળકોને વિતરણ કરીને 1 દેશ 1 ચૂંટણીનો સંદેશો વહેતો કરવાની નવતર પહેલ ઉતરાયણમાં કરી હતી.તેમજ સાંસદ ભરત સુતરીયા પણ 1 દેશ 1 ચૂંટણી લખેલી પતંગો ચગાવી હતી.

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો હતો.મોડાસા શહેર ભાજપના હોદ્દેદારો સાથે મંત્રીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી.મંત્રી જલારામ સોસાયટી ખાતે ભાજપના કાર્યકરના ઘરે પહોંચ્યા હતા,જ્યાં સ્થાનિકો સાથે મુલાકાત કરી હતીત્યારબાદ પતંગ ચગાવ્યો હતો.ભીખુસિંહ પરમારે પતંગ ચગાવતા બાળપણના સ્મરણો યાદ કર્યા હતા.

સાબરકાંઠા લક્ષદ્વીપ,દમણ,દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણનો પર્વ મનાવ્યો હતો,આ પ્રસંગે ધારાસભ્યો સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં જોડાયા હતા,અને પ્રફુલ પેટેલે સૌ ને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી.

વડોદરામાં ઉતરાયણનો માહોલ જામ્યો છે,સવારથી જ પતંગરસીકો ધાબા ઉપર પહોંચી ગયા હતા.આ વખતે ખાસ કરીને NRI લોકો ઉતરાયણ કરવા વડોદરા પહોંચ્યા હતા.અને સૌપ્રથમ વખત વડોદરાના ધાબા ભાડે રાખવામાં આવ્યા હતા.ત્યારે મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ પતંગ ઉડાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

ઉત્તરાયણનો માહોલ જામ્યો છે,તેની સાથે સાથે જ રાજકીય દાવપેચનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. સંગઠન પર્વ બાદ શહેર તેમજ જિલ્લાના ભાજપના પ્રમુખ કોણ હશે તેનું સસ્પેન્સ હજુ યથાવત છે. દરમિયાન આકાશી દાવ પેચની લડાઈમાં પણ રાજકીય રંગ જોવા મળ્યો હતો.  વડોદરા શહેરમાં ભાજપના શહેર પ્રમુખ માટે એક તરફ સાંસદે લોબિંગ ચલાવ્યું હતું અને તેઓનો સાથ વડોદરાના ચાર ધારાસભ્ય પણ આપ્યો હોવાનું કહેવાય છે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વે સાંસદે ધારાસભ્યનો ફિરકો પકડી તેઓની પતંગ આકાશમાં ઊંચે ઉડે તેમાં સાથ આપ્યો હતો. ખેર આ તો પર્વ છે,પરંતુ રાજકીય દાવ પેજમાં કોણ કોનો ફીરકો પકડે છે અને કોનો પતંગ ઉપર ચડે છે તે આગામી બે ત્રણ દિવસમાં માલુમ પડી જશે. 

સુરત શહેર પણ ઉત્તરાયણ પર્વના રંગે રંગાયું હતું,સુરતીઓ વહેલી સવારથી પતંગ ચગાવવા ધાબા પર ઉમટી પડ્યા હતા,અને આજે પવન ની ગતિ પણ માફક હોવાથી પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.તેમજ કાઇપો છે..એ લપેટ...લપેટ..ના નારા ઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, DCP ,ACP સહિત પોલીસ અધિકરીઓ તેમજ કર્મચારીઓએ પણ પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

 જ્યારે વલસાડમાં પણ ઉત્તરાયણ પર્વની ખુબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.વલસાડ ડાંગના યુવા સાંસદ ધવલ પટેલે તેઓના પરિવાર સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેઓની સાથે મકરસંક્રાંતિની ઉજવણીમાં જોડાયા હતા.

ભરૂચ જિલ્લામાં પણ પતંગ પર્વ ઉત્તરાયણની શાંતિમય રીતે ઉજવણી કરવામાં આવી હતી.પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી,અને જિલ્લાવાસીઓને મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છા પાઠવી હતી. 

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.