વડોદરા : સાળંગપુર હનુમાનજી પ્રતિમાના ભીંતચિત્રોનો વિવાદ, વૈદિક રીતે ઉગ્ર આંદોલનની સંત સમુદાયની ચીમકી...!
સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
BY Connect Gujarat Desk1 Sep 2023 9:54 AM GMT
X
Connect Gujarat Desk1 Sep 2023 9:54 AM GMT
સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંતચિત્રોને લઈને રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ભક્તો બાદ સંત સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે, અને વિરોધ નોંધાવી રહ્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય તથા કરણી સેના દ્વારા આ અંગેનો વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને જો આ ભીંતચિત્રો નહીં હટાવાય તો આગામી દિવસોમાં વૈદિક રીતે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Next Story