Connect Gujarat
ગુજરાત

વડોદરા : સાળંગપુર હનુમાનજી પ્રતિમાના ભીંતચિત્રોનો વિવાદ, વૈદિક રીતે ઉગ્ર આંદોલનની સંત સમુદાયની ચીમકી...!

સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

X

સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંતચિત્રોને લઈને રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ભક્તો બાદ સંત સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે, અને વિરોધ નોંધાવી રહ્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય તથા કરણી સેના દ્વારા આ અંગેનો વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને જો આ ભીંતચિત્રો નહીં હટાવાય તો આગામી દિવસોમાં વૈદિક રીતે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story