વડોદરા: સયાજી બાગમાં નવા સાધનો સાથેના સાયન્સ પાર્કનું લોકાર્પણ કરાયું.

વડોદરા શહેરના સયાજી બાગના 146માં સ્થાપના દિન પ્રસંગે રૂપિયા 2.08 કરોડના ખર્ચે પ્લેનેટોરિયમ ખાતે સાયન્સ પાર્ક અને અપગ્રેડેડ થયેલા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • સયાજી બાગના 146માં સ્થાપના દિનની ઉજવણી

  • પ્લેનેટોરિયમ ખાતે સાયન્સ પાર્કનું કરાયું લોકાર્પણ

  • અપગ્રેડ થયેલા સાધનોને પણ ખુલ્લા મુકાયા

  • બાળકોમાં જ્ઞાન સાથે વિજ્ઞાનનું પણ નોલેજ વધે તેવો પ્રયાસ

  • સયાજીરાવ ગાયકવાડે 1879માં સયાજી બાગનું લોકાર્પણ કર્યું હતું   

વડોદરા શહેરના સયાજી બાગના 146માં સ્થાપના દિન પ્રસંગે રૂપિયા 2.08 કરોડના ખર્ચે પ્લેનેટોરિયમ ખાતે સાયન્સ પાર્ક અને અપગ્રેડેડ થયેલા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડોદરામાં સયાજી બાગના 146માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે 2.08 કરોડના ખર્ચે પ્લેનેટોરિયમ ખાતે સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડેડ થયેલા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અપગ્રેડેશન કરવામાં આવ્યું છે,તેમાં વિજ્ઞાનના પ્રયોગો અને ઓબ્જેક્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. બાગમાં ફરવા આવતા બાળકોને જ્ઞાન સાથે વિજ્ઞાનનું પણ નોલેજ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં ઈલ્યુમિનેટેડ ટ્રીઝ પણ મૂકવામાં આવ્યા છે. સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1879માં સયાજીબાગનું લોકાર્પણ કર્યું હતું.જે વડોદરા શહેરમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.

એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પ્રાપ્ત થયેલ 1 જોડી વરૂ1 જોડી ઝરખ1 જોડી શિયાળ1 જોડી જંગલી કુતરાતથા એક માદા રીંછને પીંજરામાં વડોદરાના શહેરીજનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. સાથે  સયાજીબાગ ખાતે પ્લેનેટોરિયમની બાજુમાં નવીન બનાવેલ સાયન્સ પાર્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories