વડોદરા : મહીસાગર નદી ઉપર લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાયા

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાના દક્ષિણ વિસ્તારને પૂરતા પ્રેશરથી અને લોકોની માંગ પ્રમાણે પાણી પુરવઠો મળી રહે તે માટે વડોદરા નજીક મહીસાગર નદી ઉપર ચોકારી ગામ ખાતે સિંધરોટ પાણી પુરવઠા નામથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો

New Update
વડોદરા : મહીસાગર નદી ઉપર લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાયા

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાના દક્ષિણ વિસ્તારને પૂરતા પ્રેશરથી અને લોકોની માંગ પ્રમાણે પાણી પુરવઠો મળી રહે તે માટે વડોદરા નજીક મહીસાગર નદી ઉપર ચોકારી ગામ ખાતે સિંધરોટ પાણી પુરવઠા નામથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. રૂપિયા 170 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટમાં ઇન્ટેક્સવેલમાંથી પાણી ખેંચવા માટે બનાવવામાં આવી રહેલો લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા બંને મજૂરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.

મળેલી માહિતી પ્રમાણે પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છ. જેમાં ખાસ કરીને વડોદરાના દક્ષિણ વિસ્તાર એટલે કે માંજલપુર સહિતના વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા મહી નદી ઉપરના ચોકારી ગામ ખાતે સિધરોટ પાણી પુરવઠા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મહિ નદીમાં ઇન્ટેક વેલ બનાવીને પાઇપલાઇન દ્વારા પાણી લાવવાનો રૂપિયા 170 કરોડનો પ્રોજેકટ શરૂ કરાયો હતો. અને આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી એપ્રિલથી દક્ષિણ વિસ્તારને પાણી મળવાનુ શરૂ થશે. તેવી જાહેરાત પણ મેયર દ્વારા કરવામાં આવી હતી. રૂપિયા 170 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટમાં ઇન્ટેક્સવેલમાંથી પાણી ખેંચવા માટે બનાવવામાં આવી રહેલો લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા બંને મજૂરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.

વડોદરા નજીક મહિ નદી ઉપરના ચોકારી ખાતેના સિધરોટ પાણી પ્રોજેક્ટના સ્થળે બનેલી આ ઘટનાની જાણ કોર્પોરેશનના પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણાને થતા તેઓ સ્ટાફ સાથે દોડી ગયા હતા. તે સાથે કોંગ્રેસના કાઉન્સિલર અને વિપક્ષી નેતા અમીબેન રાવત, જહા દેસાઈ તેમજ ભાજપાના કાઉન્સિલર મનીષ પગાર સ્થળ પર દોડી ગયા હતા અને બનાવ અંગેની માહિતી મેળવી હતી. તેમજ આ ઘટના કેવી રીતે ઘટી તે અંગે પણ પ્રાથમિક વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.