વડોદરા : દુધના ભાવવધારાનો અનોખો વિરોધ, ટીમ રીવોલ્યુશને મફતમાં દુધના પાઉચ આપ્યાં

વડોદરાની ટીમ રીવોલ્યુશને દુધના ભાવવધારાનો વિરોધ કરવા મફતમાં દુધના પાઉચ આપી શહેરીજનોમાં આર્કષણ જમાવ્યું હતું..

New Update
વડોદરા : દુધના ભાવવધારાનો અનોખો વિરોધ, ટીમ રીવોલ્યુશને મફતમાં દુધના પાઉચ આપ્યાં

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા દરમિયાન મફતમાં પેટ્રોલ આપનારી વડોદરાની ટીમ રીવોલ્યુશને દુધના ભાવવધારાનો વિરોધ કરવા મફતમાં દુધના પાઉચ આપી શહેરીજનોમાં આર્કષણ જમાવ્યું હતું.....

વડોદરામાં ટીમ રીવોલ્યુશન તેના અનોખા વિરોધ પ્રદર્શન માટે જાણીતી છે. થોડા દિવસ પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં વડોદરામાં ભાજપના સમર્થકોને મફતમાં પેટ્રોલ આપવામાં આવ્યું હતું. હવે રાજયમાં દુધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે ત્યારે ટીમ રીવોલ્યુશન તરફથી મફત દુધના પાઉચ આપવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન સાથે સેલ્ફી બતાવનારને 10 પાઉચ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેનો ફોટો બતાવનારને 5 પાઉચ, ભાજપના સ્થાનિક કોર્પોરેટર સાથેની તસવીર લાવનારને 02 પાઉચ અને અબ કી બાર મહેંગી સરકારના નારા લગાવનારને એક પાઉચ આપવામાં આવ્યું હતું. ટીમ રીવોલ્યુશનના સ્વેજલ દેસાઇ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, આજે દિવસ દરમિયાન દુધના 3 હજાર જેટલા પાઉચ વિનામુલ્યે આપવામાં આવ્યાં છે. હવે આગામી દિવસોમાં રાંધણગેસના બોટલો મફતમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને ડીઝલના ભાવમાં થયેલાં વધારાએ ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બનાવી દીધી છે...

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, 

New Update
a

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છેઆ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન બોઇંગનું 787-8 ડ્રીમ લાઈનર હતુંઆ પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે. એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે બોઇંગ 787-8ની ડીઝાઈનમાં મોટી ખામીઓ હતી. એવામાં અહેવાલો છે કે ભારત સરકાર દેશના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેફ્ટી ચેક કરવામાં માટે તમામ બોઇંગ 787-8ને ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારત અને યુએસ એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,દુર્ઘટનાની તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે.