વલસાડ : મનપામાં વાપીના સમાવેશ સામે 11 ગામનો વિરોધ, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાય...

વાપીનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા 11 ગામોમાં વિરોધનો સુર ઉઠ્યો છે, ત્યારે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતીમાં નામધા ગામે વિશાળ રેલી યોજાય

New Update
  • વાપીનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા વિરોધ

  • 11 જેટલા ગામના ગ્રામજનોએ ઉઠાવ્યો વિરોધનો સુર

  • વિરોધ કરી રહેલા ગ્રામજનો દ્વારા વિશાળ રેલી યોજાય

  • વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતી

  • આગામી દિવસોમાં યોજાશે ઉગ્ર આંદોલન : અનંત પટેલ

વલસાડ જિલ્લાન વાપીનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા 11 ગામોમાં વિરોધનો સુર ઉઠ્યો છેત્યારે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતીમાં નામધા ગામે વિશાળ રેલી યોજાય હતી.

વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છેજ્યાં વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ કામોનો ધમધમાટ પણ શરૂ થઈ રહ્યો છે. તો બીજી તરફવાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામોમાં વિરોધનો સુર ઉઠી રહ્યો છેત્યારે વિરોધ કરી રહેલા 11 ગામના લોકોની કોંગ્રેસે આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કર્યું છે.

વાપીના છેવાડે આવેલા નામધામાં કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઇ હતી. જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ અગ્રણીઓ અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશેલોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે મુશ્કેલી ઉભી થશે તેમજ ટેક્સનું ભારણ પણ વધશે સહિતના મુદ્દાઓ આગળ કર્યા હતાત્યારે આગામી દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 11 ગામના ગ્રામજનો સાથે કોંગ્રેસના આગ્રણીઓ પણ આ વિરોધ રેલીમાં જોડાય પારડી પ્રાંત કચેરીએ રજૂઆત પણ કરશે. આમ મહાનગરપાલિકાના અમલીકરણ બાદ હવે કોંગ્રેસે આ મુદ્દે લોકોનો સહકાર લઈ વિરોધ આંદોલન શરૂ કરતાં રાજકારણ પણ ગરમાયું છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.