વલસાડ : પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે વટ જમાવતા મધ્યપ્રદેશ-ઇન્દોરના 2 યુવાનોની ધરપકડ...

વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરની એક હોટલમાં 2 યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છે, ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતો

New Update

વલસાડ જિલ્લા ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા

મધ્યપ્રદેશ-ઇન્દોરના 2 યુવાનોની કરાય છે ધરપકડ

યુવાનો પાસેથી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ  મળ્યા

ઘાતક હથિયારો વટ પાડવા ખરીદ્યા હોવાનો ખુલાસો

બન્ને યુવાનોની ધરપકડ સાથે પોલીસની કડક કાર્યવાહી

આજના યુવાનોમાં વટ પાડવો એક ફેશન બની ગઈ છેત્યારે આવો જ કિસ્સો વલસાડ જિલ્લામાંથી સામે આવ્યો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના 2 યુવાનોની ઘાતક હથિયારો સાથે ધરપકડ કરી છે. જોકેઆ ઘાતક હથિયારો માત્ર વટ પાડવા માટે ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.

વલસાડ ગ્રામ્ય પોલીસ જાપ્તામાં ઉભેલા આ બન્ને યુવાનો પર ગંભીર ગુનો લાગેલો છે. પ્રથમ નજરે માસુમ લાગતા આ યુવાનો પાસેથી ઘાતક હથિયાર મળી આવ્યા છે. ઘટનાની વિગતે વાત કરીએ તોવલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કેનેશનલ હાઇવે પરની એક હોટલમાં 2 યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છેત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતોઅને બન્ને ઈસમોને તપાસ કરતા એક દેશી બનાવટી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસમળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કેઆ બન્ને આરોપી ઇન્દોરથી દમણ ફરવા આવ્યા હતા. દમણમાં મોજશોખકર્યા બાદ આરોપીની એક ગર્લફ્રેન્ડ પણ વલસાડ આવી હતી. આ ગર્લફ્રેન્ડને મળવા આરોપી વલસાડની હોટલમાં મળવા આવ્યા હતા. આ બન્ને પાસેથી મળેલા ઘાતક હથિયારોનો ઉપયોગ તેઓ ક્યાં કરવાના હતાતે મામલે પોલીસે તપાસ શરૂ કરી છેત્યારે હાલ તો વલસાડ ગ્રામ્ય પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ નિતેશ અંબારામ કટારીયા અને ગૌરીશંકર ડોંગરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

નવસારી : નારિયેળી પૂનમ પર્વ નિમિત્તે સાગરખેડૂઓ દરિયાદેવની પૂજા કરી દરિયો ખેડવાની કરી શરૂઆત

નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત કરી હતી.

New Update
  • ધોળાઈ બંદર ઉપર નારિયેળી પૂનમની ઉજવણી

  • સાગરખેડુઓ માટે નારીયેળી પૂનમ પવિત્ર દિવસ     

  • ખલાસીઓએ કર્યું વહાણનું પૂજન

  • દરિયાદેવની પૂજા કરી માછીમારીની કરી શરૂઆત

  • સાગર ખેડુઓએ કળશ યાત્રા યોજી કર્યું પૂજન

નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત કરી હતી.

નવસારી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વહાણવટના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોનો મોટો વર્ગ રહે છે. જેઓ અવારનવાર માછીમારી કરવા માટે દરિયો ખેડતા હોય છે. જેમાં નવસારીના ધોળાઈ બંદરથી માછીમાર દરિયામાં રોજગારી માટે જાય છે.દરિયાઈ પટ્ટી પર વસતા સાગરખેડુઓ નારીયેળી પૂનમના પવિત્ર દિવસે પોતાની વર્ષો જૂની પરંપરા અનુસાર સાગરદેવનું પૂજન કરી રોજગારી માટે દરિયો ખેડવાની શરૂઆત કરે છે.

માછીમાર સમાજ દ્વારા તેઓની વર્ષો જૂની પરંપરા અનુસાર આજના દિવસે એટલે કે નારિયેળી પૂનમના દિવસે નવસારીના ધોળાઈ બંદર ખાતે માછીમાર સમુદાયના મહિલા પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાઅને પોતાની પરંપરા અનુસાર ઢોલ શરણાઈના તાલે કળશ યાત્રા કાઢી દરિયાદેવની અને પોતાના વહાણની ખાસ પૂજા અર્ચના કરી હતી.

દરિયાદેવને નારિયેળ પધરાવી માછીમાર સમાજ પોતાની રોજગારીમાં સમૃદ્ધિ અને રક્ષણ આપવાની પ્રાર્થના દરિયાદેવને કરે છે. આજના દિવસથી જ માછીમાર સમાજ દરિયો ખેડવાની શરૂઆત કરે છે. આજના દિવસથી દરિયો પોતાનું બળ ઓછું કરે છે. જેથી આજના તહેવારને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ બને છે.