Connect Gujarat
ગુજરાત

વલસાડ : સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના બાળકોને સાચવવા માટે 'વાત્સલ્ય ઘોડિયાઘર'નું નિર્માણ...

તા. ૧૩-૧૦-૨૦૨૨ના રોજ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે ‘વાત્સલ્ય ઘોડિયાઘર’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

વલસાડ : સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના બાળકોને સાચવવા માટે વાત્સલ્ય ઘોડિયાઘરનું નિર્માણ...
X

વલસાડ કલેકટર કચેરી ખાતે સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના બાળકોને સાચવવા માટે નિર્માણ કરાયેલા 'વાત્સલ્ય ઘોડિયાઘર'નું કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

તા. ૧૩-૧૦-૨૦૨૨ના રોજ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે 'વાત્સલ્ય ઘોડિયાઘર'નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વાત્સલ્ય ઘોડિયાઘરમાં સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના નાના બાળકોને સાચવવામાં આવશે, જ્યાં સવારે ૯-૦૦થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી બાળકોને સાચવવામાં તેમજ બાળકોને પોષણયુક્ત ખોરાક પણ આપવામાં આવશે. આ ઘોડિયાઘરનું સંચાલન આદર્શ મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે.

Next Story