વલસાડ: કેમિકલ ભરેલ ટેન્કરમાં ભયંકર આગ, 2 લોકો ભડથુ થઈ જતા કમકમાટી ભર્યા મોત
મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.
BY Connect Gujarat Desk22 Feb 2024 6:33 AM GMT
X
Connect Gujarat Desk22 Feb 2024 6:33 AM GMT
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત નિપજ્યા હતા
મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. જે પલટી ગયા બાદ ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. જેના કારણે ટેન્કર અગનગોળો બની ગયું હતું. ટેન્કરની સાથે પાછળ આવી રહેલી અન્ય બે કાર પણ આગની ચપેટમાં આવી હતી.બે કલાકના અંતે આગ પર કાબૂ આવ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એક વ્યકિતની બળી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે થોડીવાર બાદ ટેન્કરની અંદરથી વધુ એક મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે થયો છે.
Next Story