વલસાડ : સાયન્સ કોલેજ પાછળ ખુલ્લા પ્લોટમાંથી માનવ કંકાલ મળ્યું

વલસાડ શહેરની સાયન્સ કોલેજ પાછળની એક સોસાયટીના પ્લોટમાંથી માનવકંકાલ મળ્યું હતું. જેમાં સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવતા માનવકંકાલ કોઈ યુવતીનો હોવાનું સામે આવ્યું છે.

New Update
  • સાયન્સ કોલેજ પાછળની સોસાયટીની ઘટના

  • સોસાયટીના પ્લોટમાંથી માનવ કંકાલ મળ્યું

  • કંકાલને સુરત ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયું

  • 14થી 20 વર્ષીય યુવતીનું હાડપિંજર : રિપોર્ટ

  • વાલી-વારસોની પોલીસે શોધખોળ હાથ ધરી

Advertisment W3.CSS

વલસાડ શહેરની સાયન્સ કોલેજ પાછળની એક સોસાયટીના પ્લોટમાંથી માનવકંકાલ મળ્યું હતું. જેમાં સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવતા માનવકંકાલ કોઈ યુવતીનો હોવાનું સામે આવ્યું છે.

વલસાડ પોલીસ માટે ઉદવાડાના મોતીવાડામાં કોલેજિયન ગર્લના રેપ વિથ મર્ડરનો કેસ સોલ્વ થયોત્યાં બીજો પડકાર આવીને ઊભો રહ્યો છે. વલસાડની સાયન્સ કોલેજ પાછળ આવેલી સહજાનંદ સોસાયટીના સામે ખુલ્લા ઝાડી-ઝાંખરાવાળા પ્લોટ છે. અહીં કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતાત્યારે એક માનવ કંકાલ મળી આવ્યું હતું. જેમાં માનવ શરીરના અંગો જેવાં કેમાનવ ખોપડીપાંસળીના ભાગોપગના હાડકાના ભાગોહાથના હાડકાંના ભાગોકરોડરજ્જુના ભાગો મળી આવ્યા હતા.

આ માનવ કંકાલના અંગો સંપૂર્ણપણે હાડકાના સ્વરૂપમાં હતા. જેથી આ બોડી કોની છેતે ઓળખી શકાયું નથી. ઘટના સ્થળેથી એક મરૂન કલરનો 2 બટનવાળો મેલો લેડીઝ કુર્તો મળી આવ્યો હતો. આ માનવ હાડપિંજરનું સુરતના ફોરેન્સિક વિભાગે પોસ્ટમોર્ટમ કરતાં ડોક્ટરે જણાવ્યું કેઆ માનવ કંકાલ આશરે 14થી 20 વર્ષીય યુવતીનું છે. તેમજ તેનું અંદાજે 3 માસ પહેલાં મૃત્યુ થયું હતું. 3 મહિના પહેલાં ગુમ હોય અને મરૂન કલરના કુર્તાવાળી આશરે 14થી 20 વર્ષની કોઈ યુવતી ગુમ થઈ હોયતો તે અંગે તેમજ તેના વાલી-વારસો વિશે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ મથકે અથવા તો વલસાડ સિટી પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે.

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં