વલસાડ : વાપી જીઆઇડીસી સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું,અંદાજિત 400 જેટલા શકમંદોની અટકાયત

પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના રહેઠાણ, નોકરી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી વિઝા વગર રહેતા વિદેશી નાગરિકોને ઓળખી કાઢવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી

New Update
  • વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહી

  • વાપીમાં પોલીસે કર્યું સર્ચ ઓપરેશન

  • સંદિગ્ધ બાંગ્લાદેશીઓને શોધવાની કાર્યવાહી

  • અંદાજીત 400 શકમંદો અટકાયત

  • પોલીસ કાર્યવાહીના પગલે ફફડાટ  

વલસાડ જિલ્લા પોલીસે વિશાળ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 400 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.વાપી ઔદ્યોગિક વસાહત,રેલવે સ્ટેશનઅંબામાતા મંદિર વિસ્તાર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે વાપી ઔદ્યોગિક વસાહત,રેલવે સ્ટેશન,અંબામાતા મંદિરહોટલગેસ્ટ હાઉસ સહિત ચાલી વિસ્તારમાં મેગા સર્ચ કરવામાં આવ્યું હતું.

પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના રહેઠાણનોકરી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી.વિઝા વગર રહેતા વિદેશી નાગરિકોને ઓળખી કાઢવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. વલસાડSP ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળLCB અનેSOG સહિતની પોલીસ ટીમે વલસાડવાપીપારડીઉમરગામધરમપુર અને કપરાડા તાલુકામાં આ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસે ઔદ્યોગિક એકમોભંગારના ગોડાઉન સંચાલકો અને ચાલી માલિકોને શંકાસ્પદ વિદેશી નાગરિકોની માહિતી આપવા જણાવ્યું છે.આ ઉપરાંત સંદિગ્ધ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી દરમિયાન અંદાજિત 400 જેટલા શકમંદોની પણ પોલીસે અટકાયત કરી હતી. પોલીસની કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.