વલસાડ : સંઘ શતાબ્દી ઉત્સવને અનુલક્ષી RSSનું એકત્રીકરણ યોજાયું, 350થી પણ વધુ સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા...

વલસાડ નગરમાં આવેલા અબ્રામા વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સંઘ શતાબ્દી ઉજવણીના ઉત્સવને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું.

New Update
aa

વલસાડ નગરમાં આવેલા અબ્રામા વિસ્તાર સ્થિતBAPS સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સંઘ શતાબ્દી ઉજવણીના ઉત્સવને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું. જેમાં પૂર્ણ ગણવેશમાં 350થી પણ વધુ સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

1925માં નાગપુરના મોહિતે વાળા મેદાન ખાતે 10થી 20 બાળ તરુણોથી પ્રારંભ થયેલા સંઘની શાખા આજે દેશના નાગરિક ક્ષેત્રમાં વસ્તી સુધી અનેક સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારે રોપેલું સંઘ બીજ આજે વટવૃક્ષ બની તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છેત્યારે વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલBAPS સ્વામિનારાયણ સ્કુલ ખાતે સંઘના 350થી વધુ સ્વયં સેવકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંઘના નવસારી વિભાગના કાર્યવાહ દેવેન્દ્ર ગાંવકર દ્વારા સંઘ શતાબ્દી વર્ષમાં‘’પંચ પરિવર્તન’’ પર કાર્ય કરશે તેવું વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સંઘના નવસારી વિભાગના મા. સંઘચાલક પ્રકાશ ગાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.