/connect-gujarat/media/post_banners/b3e70198aad3e81edd71e3d57ace8cb9ec468d0cf96162633979bcfab9c0b719.jpg)
વલસાડ જિલ્લાના છેવાડે આવેલા માલવણમાં પતિએ જ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.પત્નીના ચારિત્રય પર વહેમ રાખી હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો જેને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વલસાડ જિલ્લાના માલવણ ગામના કરદીવા ફળિયા ના ભાગલ રોડ પર એક અવાવરૂ જગ્યામાંથી પહેલી ડિસેમ્બરના રોજ એક અજાણી મહિલાનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે તે વખતે મહિલાની ઓળખ થઈ શકી ન હતી. પરંતુ ત્યારબાદ પોલીસે તપાસ કરતા મહિલાની ઓળખ જીમીશાબેન ટંડેલ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક જીમિસાના પતિ જયગીરી ગોસ્વામીએ શરૂઆતમાં કપડાના આધારે તેની ઓળખ કરી હતી પરંતુ તેની ખરાઈ કરવા પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં મૃતક મહિલા જયગીરી ગોસ્વામીની પત્ની જીમિશા જ હોવાનું બહાર આવ્યું હતું.જોકે ત્યારબાદ પોલીસ સમક્ષ પરિવારજનોએ જીમિષા ની હત્યા કરવામાં આવી હોવાના આશંકા વ્યક્ત કરી હતી. આથી જીમીસાના મોત મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પતિ જયગીરી ગોસ્વામી અને તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે મૃતક જીમિશાનો પહેલા નરેશ ટંડેલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. જોકે તેઓએ બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તે દરમિયાન જીમિસાને જયગિરી ગૌસ્વામી સાથે આંખ મળી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા જીમીશા અને જયગીરી ગોસ્વામી બંને પતિ પત્ની તરીકે જ સાથે રહેતા હતા. જોકે તે દરમિયાન જીમિશાનો પ્રથમ પતિ દિવ્યેશ અવારનવાર જીમીશા અને તેના પતિ જયગીરી સાથે અને તેમના પરિવારજનોને ફોન કરી અને રૂબરૂ મળીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી પરિવારજનોએ જીમિશાની હત્યા મામલે શંકા વ્યક્ત કરી હતી જેના આધારે પોલીસે પૂર્વ પતિની અટકાયત કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યુ હતું કે તે જીમીશા સાથે ફરીએકવાર જીવન જીવવા માંગતો હતો પરંતુ તે ન માનતા ગળું દબાવી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.