વલસાડ : વાપીના છીરી વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં 7 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ આરંભી...

વલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 7 વર્ષીય બાળકનો હત્યા કરાયેલી  હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

New Update
  • વાપી શહેરના છીરી વિસ્તારમાં બની ચકચારી ઘટના

  • શ્રમજીવી પરિવારના બાળકનો મૃતદેહ મળી આવ્યો

  • હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

  • બાળકના મૃતદેહ પર જોવા મળ્યા તીક્ષ્ણ હથિયારના ઘા

  • વલસાડ પોલીસે અપહરણહત્યાનો ગુનો દાખલ કર્યો

વલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 7 વર્ષીય બાળકનો હત્યા કરાયેલી  હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પરિવારનો 7 વર્ષીય ઓમ જીતકુમાર તંતી નામનો બાળક ગઈ કાલ રાતથી ગુમ હતો. જેની પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી. જોકેઆખરે આ બાળકનો મૃતદેહ ઘરથી થોડી દૂર ઝાડી ઝાખરામાંથી મળી આવ્યો હતો. આથી પોલીસે મૃતદેહ નો કબજો લઈ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આથી બાળકની હત્યા નીપજાવવામાં આવી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

જોકેમૃતક બાળકનો પરિવાર ઘર નજીક વડાપાઉની લારી ચલાવે છે. આ બાળક માતા-પિતા સાથે રાત્રે લારી પર ગયો હતો. ત્યારબાદ તે ગુમ થઈ જતાં લાંબા સમય સુધી નહીં મળતા આખરે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પોલીસમાં જાણ કરતા આખરે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આ મામલે તપાસ હાથ ધરી છે. શ્રમજીવી પરિવારમાં માસુમ બાળકની હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જતી વખતે પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા સહિત જિલ્લા પોલીસના ઉચ અધિકારીનો કાફલો સ્થળ પર પહોંચી માસુમની હત્યા કોણે અને કેમ કરી છેતે દિશામાં તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.