વલસાડ : લૉરેન્સ બિશ્નોઈ જ્યારે જેલ બહાર નીકળશે, ત્યારે ક્ષત્રિય કરણી સેના તેને પતાવી દેશે : રાજ શેખાવત

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એક વખત જાહેરમાં લૉરેન્સ બિશ્નોઈ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ક્ષત્રિય કરણી

New Update

તા. 22મી ડિસેમ્બરે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન

વાપી ખાતે ક્ષત્રિય કરણી સેના દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક-રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

લૉરેન્સ બિશ્નોઈને જે મારશે તેને ઇનામ આપાશે : રાજ શેખાવત

રાજ શેખાવતે સનસનીખેજ જાહેરાત કરતા ભારે ચકચાર મચી

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એક વખત જાહેરમાં લૉરેન્સ બિશ્નોઈ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ક્ષત્રિય કરણી સેનાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજ શેખાવતે જણાવ્યું હતું કેલૉરેન્સ બિશ્નોઈને જે મારશે તેને ક્ષત્રિય કરણી સેના ઇનામ આપશે તેવી જાહેરાત કરી છે. એટલું જ નહીંતેઓના મત મુજબ લૉરેન્સ બિશ્નોઈની ગેંગે સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી હોવાથી ક્ષત્રિય કરણી સેના તેનો બદલો લેશે તેવી પણ તેઓએ જાહેરાત કરી છે.

લૉરેન્સ જ્યાં સુધી જેલમાં છેત્યાં સુધી સુરક્ષિત છેઅને જેલની બહાર નીકળશે ત્યારે ક્ષત્રિય કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા તેને મારવામાં આવશે તેવી સનસનીખેજ જાહેરાત કરતા જ ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કેઆગામી 22મી ડિસેમ્બરના રોજ આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલનને લઇ કાર્યકર્તાઓને આમંત્રણ આપવા અને તેનો સંદેશ આપવા રાજ શેખાવત વાપી પહોંચ્યા હતાજ્યાં તેઓએ ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ મીડિયા સાથે વાત કરતા ફરી એક વખત લૉરેન્સ બિશ્નોઈને ખુલ્લી ધમકી આપી હતી.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.