વલસાડ : લૉરેન્સ બિશ્નોઈ જ્યારે જેલ બહાર નીકળશે, ત્યારે ક્ષત્રિય કરણી સેના તેને પતાવી દેશે : રાજ શેખાવત

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એક વખત જાહેરમાં લૉરેન્સ બિશ્નોઈ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ક્ષત્રિય કરણી

New Update

તા. 22મી ડિસેમ્બરે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન

વાપી ખાતે ક્ષત્રિય કરણી સેના દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક-રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

લૉરેન્સ બિશ્નોઈને જે મારશે તેને ઇનામ આપાશે : રાજ શેખાવત

રાજ શેખાવતે સનસનીખેજ જાહેરાત કરતા ભારે ચકચાર મચી

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એક વખત જાહેરમાં લૉરેન્સ બિશ્નોઈ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ક્ષત્રિય કરણી સેનાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજ શેખાવતે જણાવ્યું હતું કેલૉરેન્સ બિશ્નોઈને જે મારશે તેને ક્ષત્રિય કરણી સેના ઇનામ આપશે તેવી જાહેરાત કરી છે. એટલું જ નહીંતેઓના મત મુજબ લૉરેન્સ બિશ્નોઈની ગેંગે સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી હોવાથી ક્ષત્રિય કરણી સેના તેનો બદલો લેશે તેવી પણ તેઓએ જાહેરાત કરી છે.

લૉરેન્સ જ્યાં સુધી જેલમાં છેત્યાં સુધી સુરક્ષિત છેઅને જેલની બહાર નીકળશે ત્યારે ક્ષત્રિય કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા તેને મારવામાં આવશે તેવી સનસનીખેજ જાહેરાત કરતા જ ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કેઆગામી 22મી ડિસેમ્બરના રોજ આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલનને લઇ કાર્યકર્તાઓને આમંત્રણ આપવા અને તેનો સંદેશ આપવા રાજ શેખાવત વાપી પહોંચ્યા હતાજ્યાં તેઓએ ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ મીડિયા સાથે વાત કરતા ફરી એક વખત લૉરેન્સ બિશ્નોઈને ખુલ્લી ધમકી આપી હતી.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.