વલસાડ : લૉરેન્સ બિશ્નોઈ જ્યારે જેલ બહાર નીકળશે, ત્યારે ક્ષત્રિય કરણી સેના તેને પતાવી દેશે : રાજ શેખાવત

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એક વખત જાહેરમાં લૉરેન્સ બિશ્નોઈ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ક્ષત્રિય કરણી

New Update

તા. 22મી ડિસેમ્બરે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન

વાપી ખાતે ક્ષત્રિય કરણી સેના દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક-રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

લૉરેન્સ બિશ્નોઈને જે મારશે તેને ઇનામ આપાશે : રાજ શેખાવત

રાજ શેખાવતે સનસનીખેજ જાહેરાત કરતા ભારે ચકચાર મચી

ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એક વખત જાહેરમાં લૉરેન્સ બિશ્નોઈ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ક્ષત્રિય કરણી સેનાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજ શેખાવતે જણાવ્યું હતું કેલૉરેન્સ બિશ્નોઈને જે મારશે તેને ક્ષત્રિય કરણી સેના ઇનામ આપશે તેવી જાહેરાત કરી છે. એટલું જ નહીંતેઓના મત મુજબ લૉરેન્સ બિશ્નોઈની ગેંગે સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી હોવાથી ક્ષત્રિય કરણી સેના તેનો બદલો લેશે તેવી પણ તેઓએ જાહેરાત કરી છે.

લૉરેન્સ જ્યાં સુધી જેલમાં છેત્યાં સુધી સુરક્ષિત છેઅને જેલની બહાર નીકળશે ત્યારે ક્ષત્રિય કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા તેને મારવામાં આવશે તેવી સનસનીખેજ જાહેરાત કરતા જ ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કેઆગામી 22મી ડિસેમ્બરના રોજ આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલનને લઇ કાર્યકર્તાઓને આમંત્રણ આપવા અને તેનો સંદેશ આપવા રાજ શેખાવત વાપી પહોંચ્યા હતાજ્યાં તેઓએ ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ મીડિયા સાથે વાત કરતા ફરી એક વખત લૉરેન્સ બિશ્નોઈને ખુલ્લી ધમકી આપી હતી.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.