ગીર સોમનાથ : ભાલકા સ્થિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા સ્થિત નવનિર્મિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા સ્થિત નવનિર્મિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ખાતે સીબાઈ ગરબીચોક કષ્ટભંજન હનુમાન મંદિરના પરિષદમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે હેમાંદ્રી પ્રયોગ નગરીયાત્રાજલયાત્રા મંડપ પ્રવેશ ગણેશ પૂજનસ્થાપિત દેવી-દેવતાનું પૂજનગ્રહશાંતિ યજ્ઞદેવતા ન્યાસ નિજ મંદિરમાં મૂર્તિ સ્થાપિત તેમજ ઉત્તર પૂજન હવનનું આયોજન કરવામાં આવ્યું હતું

જ્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસે સ્થાપિત દેવતાઓનું પૂજનજલાધીવાસતપ સ્તપન વિધિકુટીર હોમસ્થાપિત દેવતા હોમપ્રધાન દેવતા હોમસયાધિવાસત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું શિખર પૂજન આમ અનેક વિધિ વિધાન સાથે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત યજમાનો દ્વારા મહાયજ્ઞ મંદિરમાં મૂર્તિ સ્થાપન સાથે સાથે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાભાલપરા ગ્રામ પંચાયત ઉપસરપંચ વિક્રમ પટાટમાનસિંગ પરમારઝવેરી ઠકરારમોહન ઘેરવડા સહિત મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનોએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.