નર્મદા: સ્થાનિક ધારાસભ્ય વડાપ્રધાનને કેમ ન મળી શકે? ચૈતર વસાવાએ ઉઠાવ્યો પ્રશ્ન

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવ્યા હતા,ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની PM મોદી સાથે મુલાકાત ન થઇ શકતા તેઓએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

New Update

MLA ચૈતર વસાવાએ માંગ્યો હતો PM મોદીને મળવાનો સમય, PM મોદીને મળી ન શકતા ઉઠાવ્યા ગંભીર પ્રશ્ન 

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવ્યા હતા,ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની PM મોદી સાથે મુલાકાત ન થઇ શકતા તેઓએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવ્યા હતા,અને વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન,શિલાયન્સ સહિત સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગ દરમિયાન ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ PM મોદીને મળવા માટેનો સમય માંગ્યો હતો

જોકે તેમને PM મોદી સાથે મુલાકાત ન કરી શકતા તેઓએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા,અને જણાવ્યું હતુ કે પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યને તંત્રે આમંત્રણ આપવું જોઈએ પરંતુ અધિકારીઓએ પ્રોટોકોલનો ભંગ કર્યો છે,અને અમારા ઘર બહાર પોલીસ ગોઠવીને કેવડિયા કાર્યક્રમમાં જતા પણ રોકવામાં આવ્યા છે.ચૈતર વસાવાએ આ અંગેનો એક વિડીયો જાહેર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.