“ઠંડીનો ચમકારો” : અચાનક કેમ વધી ગઈ ઠંડી..?, શું કહે છે જુનાગઢના હવામાન વિશેષજ્ઞ, જાણો ઠંડી વધવા પાછળના કારણો..!

આ વર્ષે સીઝનમાં ઠંડીના દિવસો વધુ રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. આગામી દિવસોમાં પણ આ તાપમાન લઘુતમ અથવા સામાન્ય કરતાં નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે

New Update
  • સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું

  • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ

  • જુનાગઢ ખાતે 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું

  • જમીનથી 12 કિમી ઉપરથી પસાર થતાં પવનો બન્યું કારણ

  • આગામી ફેબ્રુઆરી મહિના સુધી રહેશે ઠંડી : હવામાન વિશેષજ્ઞ

થોડા દિવસો પહેલા ઠંડીનું ક્યાંય નામો નિશાન ન હતું અને અત્યારે હાલમાં ગુજરાતના અનેક જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. અચાનક વધતી ઠંડીનું કારણ શું છે અને આ ઠંડી ફક્ત થોડા દિવસ માટે મર્યાદિત છે કેસમગ્ર સીઝન દરમિયાન આ પ્રકારની ઠંડી જોવા મળશે. તે સમગ્ર બાબતની માહિતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિશેષજ્ઞ ધીમંત વઘાસિયાએ આપી હતી.

સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છેઅને તે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળ્યું છે. આ સમય દરમિયાન ઘણી જગ્યાએ 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. આ સાથે પાછલા દિવસોમાં પણ જુનાગઢ ખાતે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ બાદ ઠંડી ઓછી થઈ અને તાપમાન ઊંચું ગયુંજે 15થી 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું.

તેની પાછળનું કારણ પૃથ્વીની સપાટીથી 12 કિમી ઉપર જે પવનોના પ્રવાહો ઉત્તર ભારતથી પસાર થઈ રહ્યા છેતેના લીધે ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. આગામી સમયમાં હજુ પણ તાપમાનની અંદર વધઘટ જોવા મળશે. પવનોના પ્રવાહો જે રીતે જમીનથી 12 કિલોમીટર ઉપરથી પસાર થઈ રહ્યા છેતેની અસરથી આ હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે.

ઠંડીનું મોજુ આવવા પાછળનું કારણ ઉત્તર ભારતમાં સર્જાયેલું વેસ્ટન ડિસ્ટર્બન્સ છે. જમ્મુ કશ્મીરઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષા પણ આ માટે જવાબદાર છે. પરંતુ એટલું નક્કી છે કેગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સીઝનમાં ઠંડીના દિવસો વધુ રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. આગામી દિવસોમાં પણ આ તાપમાન લઘુતમ અથવા સામાન્ય કરતાં નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે.

2024ના ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પણ વધારે પડ્યો હતોઅને તેને લઈને હાલ સુધી તમામ જળાશયો ભરેલા જોવા મળે છે. તેને લઈને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધારે છેઅને તેથી જ ઠંડી વધુ જોવા મળે તે પણ શક્યતાઓ છે. આગામી ફેબ્રુઆરી મહિના સુધી આ ઠંડીનો અહેસાસ રહેશે તેવું હવામાન વિશેષજ્ઞએ જણાવ્યુ હતું.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.