વિશ્વ રેડિયો દિવસ : અમરેલીના “રેડિયો મેન” દ્વારા રેડિયોના સુવર્ણ ઈતિહાસનો સંગ્રહ, જુઓ 200થી વધુ દુર્લભ રેડિયોનો ખજાનો...

13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ છે, ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે કે, જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો અનોખો સંગ્રહ કર્યો છે.

New Update
  • આજે તા. 13મી ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ

  • ચલાલાના વતની અને નિવૃત શિક્ષકે કર્યો છે સંગ્રહ

  • રેડિયો પ્રેમી દ્વારા કરાયો 200થી વધુ રેડિયોનો સંગ્રહ

  • અલગ અલગ દેશમાં બનેલા રેડિયોનો પણ સમાવેશ

  • રેડિયોના સુવર્ણ ઈતિહાસનો સંગ્રહ લોકોમાં આકર્ષણ

આજે તા. 13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ છેત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે કેજેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો અનોખો સંગ્રહ કર્યો છે. આજે 13 ફેબ્રુઆરી એટલે કે'વિશ્વ રેડિયો દિવસ'. એક સમય હતો કેજ્યારે રેડિયો તમામ લોકોના ઘરમાં પણ નહોતો. આજે તમામ લોકોના મોબાઈલમાં રેડિયો ઉપલબ્ધ છેપણ તમામ સાંભળનારા નથી.

જોકેઆજે વિશ્વ રેડિયો દિવસના દિવસે અમરેલી જિલ્લાના ચલાલાના વતની અને નિવૃત શિક્ષક સુલેમાન દલને જરુર યાદ કરવા પડે. કારણ કેતે પોતાના ઘરમાં રેડિયોના સુવર્ણ ઈતિહાસનો સંગ્રહ કરીને રાખ્યો છે. છેલ્લા 7-8 દાયકામાં રેડિયોનું સ્વરૂપ અને ટેક્નોલોજી બંને બદલાઈ ગઈ. પણ સુલેમાન દલનું ઘર છે કેજ્યાં આ તમામ ટેક્નોલોજીના રેડિયો ઉપલબ્ધ છે.

સૌથી મહત્વની બાબત એ છે કેઅહીં જે પણ રેડિયોનો સંગ્રહ કરાયો છે તે તમામ આજેપણ કાર્યરત છે. તેમના રેડિયો કલેકશનમાં 200 જેટલા રેડિયો છે. જેમાં અલગ અલગ દેશમાં બનેલા રેડિયો અને ભારતમાં મળતા રેડિયો છે. સૌથી જૂનો રેડિયો 77 વર્ષ પહેલા 1946માં બન્યોતે પણ તેમના સંગ્રહમાં છે. તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે.

જેમાં વધુમાં વધુ 32 બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે. મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કેપછી'રંગભૂમિના રંગોનામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાન દલની યાદોરેડિયોના કારણે જ જોડાયેલી છે. તેઓ રેડિયોના ચાહક-સાધક અને'રેડિયો મેનછેતેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

રેડિયો ઉપરાંત સુલેમાન દલ પાસે જૂની ઈલેટ્રોનિક ચીજો જેમ કે સ્પીકરરેર ગ્રામોફોન પ્લેયરચેન્જરહાથથી સંચાલિત વીડિયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો જોવા મળ્યો છે.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.